દવા અને દૂધ, કિરાણા, શાકભાજી સિવાય બધી જ દુકાનો બંધ રહેશે. પબ્લિક અને પ્રાઇવેટ બધા જ પ્રકારના ટ્રાન્સપોર્ટ પર રોક લગાડવામાં આવી છે.
આસામના 7 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન
આસામના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બહાર પાડી એડવાઇઝરી
અન્ય જિલ્લામાં બપોરે 2 વાગ્યાથી લઈ સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ
આસામના 7 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન
આસામના 7 જિલ્લામાં આવતીકાલ 7 જુલાઇથી બીજો આદેશ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા મળી જાણકારી અનુસાર આ દરમિયાન સંપૂર્ણ કર્ફ્યૂ જેવા જ પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યા. કોઈ પણ વેપારીઓની દુકાન નહીં ખૂલે. એટલે કે દવા અને દૂધ, કિરાણા, શાકભાજી સિવાય બધી જ દુકાનો બંધ રહેશે. પબ્લિક અને પ્રાઇવેટ બધા જ પ્રકારના ટ્રાન્સપોર્ટ પર રોક લગાડવામાં આવી છે.
આસામના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બહાર પાડી એડવાઇઝરી
સરકારી આદેશ મુજબ ગોલપારા, ગોલાઘાટ, જોરહાટ, લખમીપૂર, સોનિતપૂર, વિશ્વનાથ અને મોરીગાંવ આ સાત જિલ્લાઓનેમાં પ્રતિબંધો લાગુ પાડવામાં આવેલ છે. આ સાથે જ આ જિલ્લાઓમાં આંતરિક પરિવહન પર પણ રોક લગાડી દેવામાં આવી છે. કોરોનાના વધતાં કેસોને લઈ સરકારે આ આદેશ બહાર પાડયા છે. આ ઉપરાંત રાજ્યના શિવ સાગર અને ડીબ્રૂગઢ જિલ્લામાં કોરોનાના કેસો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે. આસામના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ મંગળવારે નવી એડવાઇઝરી બહાર પાડી છે.
અન્ય જિલ્લામાં બપોરે 2 વાગ્યાથી લઈ સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ
શિવ સાગર, ડીબ્રૂગઢ, કોકરાજાર, બારપોતા, નરબાડી, બક્સા, બજલી, કામરૂપ, દરંગ, નૌગાંવ, હોજઇ, તીનસુકિયા, ધેમાજિ, કાચર અને કરીમગંજ જિલ્લામાં બપોરે 2 વાગ્યાથી લઈ સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. વધુમાં આસામમાં જે પણ જિલ્લાઓમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે ત્યાં સાંજે 5 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. ત્યાંની સરકારનું કહેવું છે કે જલ્દી જ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે થઈને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.