આ વાયરલ તસવીરોમાં જણાવાયું-સમગ્ર દેશમાં ફરી વાર લોકડાઉનની તૈયારી
આ ખબર ખોટી અને સત્યથી વેગળી હોવાનું સાબિત થયું
વાયરલ પોસ્ટમાં શુ લખેલું છે
આ વાયરલ તસવીરોમાં લખાયેલું છે કે સમગ્ર દેશમાં ફરી વાર લોકડાઉનની તૈયારી છે. પીએમ મોદીએ દેશમાં કોરોનાની ત્રીજી લહેરને જોતા 1 જુલાઈથી 31 જુલાઈ સુધી કડક લોકડાઉન લગાડવાની જાહેરાત કરી છે. તેમાં કહેવાયું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ છે. પીએમ મોદીએ જાહેરાત કરી છે. પરંતુ હકીકતમાં પીએમ મોદીએ આવી કોઈ જાહેરાત કરી નથી.
શું વાયરલ થઈ રહ્યું છે
ફેસબુક પેજ મહલબારી ટીવીએ 30 જૂનના એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે દેશમા લોકડાઉનની જાહેરાત. ત્રીજી લહેરને ધ્યાનમાં લેતા મોટો નિર્ણય. વાયરલ પોસ્ટમાં પીએમ મોદીની તસવીરની સાથે એક ન્યૂઝ ચેનલના લોગાનો પણ ઉપયોગ કરાયો હતો. તે ઉપરાંત અલગ અલગ ખબરોનો પણ ઉપયોગ કરાયો હતો.
સચ્ચાઈ શું છે
આ પોસ્ટ સંપૂર્ણપણે ખોટી તથા સત્યથી વેગળી હોવાનું સાબિત થયું છે. પ્રધાનમંત્રી મોદીએ આવી કોઈ જાહેરાત કરી નથી.