મધ્ય પ્રદેશ સરકારે ખરગોન શહેરમાં 10 એપ્રિલના રોજ રામનવમીના સરઘસ દરમિયાન થયેલી હિંસા બાદ સ્થાનિક પ્રશાસન સતર્ક થઈ ગઈ છે. જે બાદ આવી ઘટના ન થાય તેના માટે એક્શન લીધી છે.
ખરગોન હિંસા બાદ શિવરાજ સરકાર જાગી
ઈદ અને પરશુરામ જયંતિ પર કર્ફ્યૂ
લગાવ્યા કડક પ્રતિબંધો
મધ્ય પ્રદેશ સરકારે ખરગોન શહેરમાં 10 એપ્રિલના રોજ રામનવમીના સરઘસ દરમિયાન થયેલી હિંસા બાદ સ્થાનિક પ્રશાસને ઈદની નમાઝ ઘર પર અદા કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે પરશુરામ જયંતિ પર કોઈ પણ સરઘસ નહીં કાઢવાનો આદેશ આપ્યો છે.
MP | A complete curfew to be imposed in Khargone on May 2 & 3. Relaxation tomorrow on May 1, between 8am-5pm. Students with exams to be given passes. Eid prayers to be offered at home, there'll be no events on Akshaya Tritiya & Parshuram Jayanti: ADM Sumer Singh Mujalda pic.twitter.com/S3LL9Q11z1
એડીએમ સુમેર સિંહ મુઝાલ્દાએ કહ્યું કે, ખરગોનમાં રવિવારે એક મેના સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ઢીલ આપવામાં આવશે અને 2 તથા 3 મેના રોજ સંપૂર્ણ કર્ફ્યૂ લગાવામાં આવશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પાસ આપવામાં આવશે. અખાત્રીજ અને પરશુરામ જયંતિ પર કોઈ પણ કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહીં.
મધ્ય પ્રદેશ સરકારે નિયમ બનાવ્યો
ભોપાલ, મધ્ય પ્રદેશ સરકારે ખરગોન શહેરમાં 10 એપ્રિલે રામનવમીના સરઘસ દરમિયાન થયેલી હિંસાના સંબંધમાં સ્થાપિત દાવા ન્યાયાધિકરણના કામકાજ અને ક્ષેત્રાધિકાર સંબંધમાં સાર્વજનિક અને ખાનગી સંપત્તિ વસૂલી કાયદા અંતર્ગત નિયમો શનિવારે જાહેર કર્યા હતા. શિવરાજ સિંહ ચૌહાણ સરકારે ખરગોન હિંસામાં સામેલ લોકો પાસેથી નુકસાનની વસૂલી માટે સેવાનિવૃત જિલ્લા ન્યાયાધીશ ડો. શિવકુમાર મિશ્રાની અધ્યક્ષતામાં અને સેવાનિવૃતિ સચિવ પ્રભાત પારાશરના સભ્યોવાળી બે સભ્યોની ટીમ નિમવામાં આવી છે.