ઉત્તરપ્રદેશના વારાણસીમાં અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ દાખલ થઈ છે. વારાણસીની લોઅર કોર્ટમાં વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠીએ અલ્પેશ સામે ફરિયાદ દાખલ કરી છે.
વકીલનું કહેવું છે કે અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો વિરૂદ્ધ ભડકાઉ ભાષણ કર્યુ હતુ અને ભારતતની અખંડિતતાને નુકસાન પહોંચાડ્યુ છે.
ભારતના બંધારણીય વિરૂદ્ધ આ કાર્ય બદલ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે મહેસાણાના બહુચરાજીમાં બિનગુજરાતીઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ ભાષણ કર્યુ હતુ. જે બાદ ગુજરાતમાં ભારે રોષ સામે આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠીએ પોતાનો મત રજૂ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ઉત્તર ભારતીયો વિરૂધ્ધ અલ્પેશ ઠાકોર અને અન્ય કોંગ્રેસી નેતા જે રીતે ભડકાઉ ભાષણ આપી રહ્યા છે.
#UttarPradesh ના વારાણસીમાં @AlpeshThakor_ સામે ફરિયાદ ઉત્તર ભારતીયો વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ ફરિયાદ દાખલ વારણસીની લોઅર કોર્ટમાં અલ્પેશ સામે ફરિયાદ દાખલ અલ્પેશ ઠાકોરે બહુચરાજીમાં કર્યુ હતુ વિવાદાસ્પદ ભાષણ
વિવાદાસ્પદ ભાષણ બાદ ગુજરાતમાં બિનગુજ pic.twitter.com/PiDxXCGta4
જેનાથી ભારતીય સંસ્કૃતિ ભાઇચારા અને એકતાની અખંડિતતાને નુકસાન પહોંચી રહ્યું છે. આપને જણાવી દઇએ કે અભિયોગપત્રમાં અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ IPC 153(A) 153 (B) 153(C) 511 અને 506 હેઠક કેસ દાખલ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
કોર્ટે આ અભિયોગપત્રને પ્રકિર્ણવાદના રૂપે દાખલ કરવાનો આદેશ આપ્યો છે.આ મામલાની સુનાવણી માટે આગામી 22 ઓક્ટોબર નિર્ધારીત કરવામાં આવી છે. જો કે હાલ તો કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરી રહ્યા છે.