પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ, દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી
પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ
દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી સાથે દુષ્કર્મ
પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેમના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતીને મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ
પોલીસ મથકમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અશોક જૈને યુવતીને રાજુ ભટ્ટના ગેસ્ટ હાઉસ પર બોલાવી હતી અને યુવતીને કેફી પીણું પીવડાવીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં યુવતીના અશ્લીલ ફોટા પાડીને ફોટો વાયરલ કર્યાની પણ ફરિયાદ કરવામાં નોંધવામાં આવી છે.
દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતી સાથે દુષ્કર્મ
યુવતીએ ફરિયાદમાં કહ્યું છે કે યુવતીના સ્પાઈ કેમેરાથી ફોટા પણ પાડ્યા હતા અને બાદમાં તેને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. દુષ્કર્મ મામલે યુવતીએ ગોત્રી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલો તપાસ હાથ ધરી છે અને બંને આરોપીઓને પકડવા ગોત્રી પોલીસે તજવીજ હાથ ધરી છે.