પતિ અમિત શિવાનીને પૈસા માટે અવાર-નવાર દબાણ કરતો હતો
દહેજ પ્રથા નાબૂદ થઇ ગઇ હોવા છતાં પણ હજુ આપણા ભદ્ર સમાજમાં કેટલાક એવા પરિવાર છે, જે દહેજના ભૂખ્યા છે, જેના કારણે કેટલીક પરિણીતાઓએ પોતાના જીવ ટૂંકાવ્યા છે. તારા બાપના ઘરેથી કશું જ લાવી નથી, મારા દીકરાને તારા કરતાં વધુ રૂપિયાવાળી મળી હોત, તારો બાપ ભિખારી છે, સાસરીમાં રહેવું હોય તો લાખો રૂપિયા અને કાર લાવવી પડશે તેવા અનેક શબ્દોનો ઉપયોગ કરી રોજબરોજ પરિણીતાને માનિસક ત્રાસ આપવામાં આવે છે, જેના કારણે તેમનાં જીવન બરબાદ થઇ જાય છે. ભદ્ર સમાજમાં બનતી આ ઘટનાઓને રોકવા માટે પરિણીતાઓએ હવે ચૂપ રહેવાનું બંધ કરી દીધું છે અને ફાઇટ આપવા માટે મેદાનમાં ઊતરી છે. શહેરના વટવા વિસ્તારમાં પરિણીતાએ 50 લાખના દહેજની ફરિયાદ કરી છે, જ્યારે બાપુનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ સાસિરયાંના ત્રાસની ફરિયાદ કરી છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં 50 લાખનું દહેજ માગ્યાની ફરિયાદ
વટવા વિસ્તારમાં આવેલી ધનપાલેશ્વર સોસાયટીમાં રહેતી 22 વર્ષીય શિવાની ગોસ્વામીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસિરયાં વિરુદ્ધ મારઝૂડ તેમજ દહેજની ફરિયાદ કરી છે. શિવાનીનાં લગ્ન ઉત્તરપ્રદેશ ખાતે આવેલા સુલતાનપુરમાં રહેતા અમિત ગોસ્વામી સાથે તા. 23 મે, 2019ના રોજ સામાજિક રીતરીવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ શિવાની સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના પહેલા દિવસથી શિવાની સાથે સૂઇ જવાના મામલે અમિતે બબાલ કરી હતી. લગ્નના થોડા સમય બાદ સાસુ તેમજ ફોઇ સાસુ સહિતના લોકો શિવાનીને હેરાન-પરેશાન કરતા હતા અને ગાળો બોલતા હતા. શિવાનીને રસોડામાં એન્ટ્રી આપતાં નહીં અને કોઇ કામ કરતી નથી તેમ કહીને ઠપકો આપતાં હતાં. લગ્નના થોડા સમય બાદ શિવાની પિયરમાં આવી હતી, જેની સાથે અમિત આવી ગયો હતો. શિવાનીએ અિમતને નોકરી કરવાનું કહેતાં મામલો બીચક્યો હતો અને કહેવા લાગ્યો હતો કે હું ઘરજમાઇ છું, મારે નોકરી કરવાની ના હોય. અમિત શિવાનીને દબાણ કરતો હતો કે તારા પિતા આર્મીમાં નોકરી કરે છે તો તેમની પાસે ખૂબ મિલકત છે તો 50 લાખ રૂપિયા લઇ લે, નહીં તો એક નવો ફ્લેટ અપાવી દે.
શિવાની પાસે 50 લાખ રૂપિયાની કરાઈ માગણી
શિવાનીએ 50 લાખ રૂપિયા આપવાની ના પાડી અને ફ્લેટ અપાવવાની પણ ના પાડતાં અમિતે તેને માર મારીને લાફા ઝીંકી દીધા હતા. અમિત શિવાનીને લીધા વગર તેના ઘરે પરત જતો રહ્યો હતો. શિવાનીને તેડી નહીં જતાં તેણે કરિયાવરનો સામાન પણ પરત માગ્યો હતો, જોકે તે નહીં આપતાં અંતે પોલીસ ફરિયાદ કરી હતી. શિવાનીએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
બાપુનગર વિસ્તારમાં રહેતી તેજલ પરમારે બાપુનગર પોલીસ સ્ટેશનમાં પતિ અશોક તેમજ સાસિરયાં વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેજલ અને અશોકનાં 2019માં સાણંદ ખાતે સમૂહ લગ્ન થયાં હતાં, જેમાં સમાજના દાતાઓએ સોનાની બુટ્ટી, સોનાની ચૂની, ચાંદીના ઝૂડા, તિજોરી, પલંગ અને રોકડ સહિતની ચીજવસ્તુઓ આપી હતી. લગ્ન બાદ તેજલ સાસુ-સસરા, દિયર, નણંદ સાથે મહેસાણા ખાતે આવેલી મેલડી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના થોડા સમય સુધી સાસિરયાંએ તેજલને સારી રીતે રાખી હતી, જોકે તે પછી નાની નાની બાબતે ઝઘડા શરૂ થઇ ગયા હતા. તેજલ બીમાર થતાં તેને પતિ અશોક અમદાવાદ પિયરમાં મૂકી ગયો હતો, જ્યાં તેને હોસ્પિટલમાં સારવાર માટે એડિમટ કરી હતી. હોસ્પિટલનો ખર્ચ પણ તેજલના પિતાએ કાઢ્યો હતો.
તેજલ ગર્ભવતી થતાં પિયરમાં આવી ગઇ હતી, જ્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો.
સાસુએ ઝેર પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી
પુત્રને લઇ તે પરત સાસિરયામાં ગઇ હતી, જ્યાં તેની સાથે સાસુ બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યાં હતાં. તારા પિતાએ સોના-ચાંદીના દાગીના આપ્યા નથી, તું ગરીબ બાપની દીકરી છે તેમ કહી બબાલ કરવા લાગ્યાં હતાં. સાસિરયાંના ત્રાસથી કંટાળીને તેજલ પરત પિયરમાં આવી ગઇ હતી, જ્યાં તેણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે અશોક તેમજ તેના પરિવારને બોલાવી દીધા હતા. જ્યાં તેમનું સમાધાન થયું હતું. સમાધાન થતાંની સાથે જ તેજલ પરત સાસરીમાં રહેવા માટે જતી રહી હતી, જ્યાં તેનાં સાસુએ ઝેર પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. તેજલે ખાવામાં કઇક મિલાવી દીધું હોવાના આરોપ મૂકતાં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી.