સુરતનાં ભાજપ અગ્રણી જીતુ બારોટનાં પુત્ર અને જમાઈ સામે સુરતનાં એક પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે. સાળા- બનેવીએ મળીને લોકોને પોતાની જાળમાં ફસાયા હતાં. લોકોને જ્યારે ખબર પડી કે તો કોઈ કપટનો ભોગ બન્યા છે ત્યારે ભોગ બનનાર એક વ્યક્તિએ આ બન્ને સામે પોલીસ ફરિયાદ કરી હતી. એવું તો શું કર્યું છે પુત્ર અને જમાઈએ? જાણો શું છે હકીકત....
એક જ દુકાન 3 લોકોને વેચી બારોબાર પૈસા ઉઘરાવ્યાં હતાં
દુકાન પેટે રોકડા 12 લાખ ઉઘરાવી વિશ્વાસઘાત કર્યો
12 લાખ ઉઘરાવી દસ્તાવેજ ન આપતા મામલો ખુલ્યો
3 લોકો સાથે કરવામાં આવી છેતરપિંડી
સુરત શહેર ભાજપ અગ્રણી જીતુ બારોટનાં પુત્ર ચારૂલ બારોટ અને જમાઈ વિપુલ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બન્ને સામે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. બન્નેએ ભેગા મળીને 3 લોકો સાથે છેતરપિંડી આચરી હતી.
કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી
ચારુલ અને વિપુલે ભેગા મળી બેંકમાં મોર્ગેજ રહેલી પ્રોપર્ટીને વેચીને છેતરપિંડી કરી હતી. જેમાં તેઓએ એક જ દુકાન 3 લોકોને વેચી બારોબાર પૈસા ઉઘરાવ્યાં હતાં. તેઓએ એક દુકાન પેટે 12 લાખ રોકડા ઉઘરાવ્યાં હતાં. તેમજ તેઓએ પૈસા ઉઘરાવ્યાં બાદ દસ્તાવેજો ન આપવાનાં મામલે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.