ભાવનગરમાં જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર રસ્તા પર પશુઓનો છૂટા મૂકી દેતા માલધારીઓ અને 3 રજકા વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગરમાં રસ્તા પર પશુ માટે ઘાસચારો વેચનારની ખેર નહીં
રસ્તા પર 3 રજકા વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ
ભાવનગરમાં 6 માલધારીઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે. ત્યારે હવે રાજકોટ બાદ ભાવનગરમાં પણ જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે.
રસ્તા પર પશુ માટે ઘાસચારો વેચનારની ખેર નહીં
ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ પ્રશ્ન બની રહ્યો છે. વર્ષોથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર રસ્તા પર ગાયોને છૂટી મૂકી દેતા માલધારીઓ અને 3 રજકા વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાથે ભાવનગરમાં પણ જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે. ભાવનગરમાં રસ્તા પર પશુ માટે ઘાસચારો વેચનારની ખેર નહીં.
3 રજકા વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મેઘાણી સર્કલ પાસે સાંઈબાબા મંદિર નજીક, વડવા સનાતન સ્કૂલ પાછળ અને વડવા લક્ષ્મણ ધામ મંદિર પાસે રજકો વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે શહેરમાં ગાયના છ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
માલધારીઓ સામે પણ ફરિયાદ
શહેરની ભરતનગર ચોકડી પાસે કાનમાં ઈયર ટેગ લગાવેલી માલધારીની માલિકીની ગાયો રસ્તા રખડતી જોવા મળતા આ ટેગના આધારે રખડતી ગાયોના માલિકના નામ શોધી ગાયના 6 માલિકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
19 વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો
આ ઉપરાંત ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે 19 વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે એક ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ ડ્રાઈવમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 3 કિલો જથ્થો ઝડપાયો હતો. જેથી વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ જાહેરમાં ગંદકી ફેલાવનાર અને ઘાંસ વહેંચનારાને દંડાયા હતા.