પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ સામે દુષ્કર્મ પીડિતાનું નામ જાહેર કરવા મામલે ફરિયાદ
પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ સામે ફરિયાદ
દુષ્કર્મ પીડિતાનું નામ જાહેર કરતા નોંધાઇ ફરિયાદ
હાલ પીડિતા પારૂલ યુનિવર્સિટીમાં કરે છે અભ્યાસ
વડોદરાની પારૂલ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે, પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ સામે દુષ્કર્મ પીડિતાનું નામ જાહેર કરવા મામલે ફરિયાદ નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે. મહત્વનું છે કે દુષ્કર્મનો ભોગ બનેલ યુવતી પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે ત્યારે યુનિવર્સિટીના નાયબ કુલસચિવે પીડિતાની ઓળખ જાહેર થાય તેવો પત્ર વાયરલ કર્યો છે.
પારૂલ યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ સામે ફરિયાદ
મહત્વનું છે વડી અદાલત સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ ક્યારે પણ દુષ્કર્મ પીડિતાનું નામ જાહેર થઈ શકતું નથી તેમ છતા માનહાનિ અને બદનામી થાય તે હેતુથી પારૂલ યુનિવર્સિટીના યુનિવર્સિટીના નાયબ કુલ સચિવ ડો.અજીત ગંગવાણે નામ જાહેર કરતા પત્ર વાયરલ કરતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
દુષ્કર્મ પીડિતાનું નામ જાહેર કરતા નોંધાઇ ફરિયાદ
મહત્વનું છે કે પીડિતા પારૂલ યુનિવર્સિટીમાં પૂર્વ આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને પીડિત યુવતી યુનિવર્સિટીમાં પીએસડીનો અભ્યાસ કરે છે ત્યારે યુનિવર્સિટીના જ નવજ્યોતકુમાર ત્રિવેદી પર દુષ્કર્મનો આરોપ છે જેને લઈ ફરિયાદ પણ નોંધાવામાં આવી છે. ત્યારે નાબય કુલ સચિવ ડૉ.અજીત ગંગવાણેએ પીડિત યુવતીનું નામ જાહેર થાયે તે રીતે એક પત્ર વાયરલ કર્યો છે જેને લઈ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે, તો ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.