કચ્છઃ શહેરના પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુસાળી વિરુદ્વ થયેલા આક્ષેપ મામલે આરોપી મનિષાએ આપેલા બાહેંધરીપત્રમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જયંતી ભાનુશાળી સાથે 10 વર્ષ પહેલા ઓળખાણ થઇ હતી. જયંતી ભાનુશાળી સાથે સંબંધો પણ બંધાયા હતા.
સંબંધો માત્ર 6 વર્ષ સુધી ચાલ્યા હતા. છેલ્લા 4 વર્ષથી મનમેળ ન હોવાના કારણે સંબંધો રહ્યા નથી. પરંતુ રૂપિયાની જરૂર હોવાથી જયંતીભાઇ પાસે રૂપિયા માંગ્યા હતા. ભાનુશાળીએ આંગડિયા મારફતે રૂ. 25 લાખ મોકલાવ્યા હતા. વધુ રૂપિયાની જરૂર પડતાં વધુ 5 લાખ માંગ્યા હતા. બંને વચ્ચે રાજીખુશીથી સમાધાન થયું હતું. ભવિષ્યમાં જયંતિભાઇ કે પરિવારજનો હેરાન નહીં કરવા પણ બાંહેધરી લેવામાં આવી હતી.
બાહેંધરીપત્રમાં ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે અહીં અનેક પ્રકારના સવાલો થઇ રહ્યા છે. શું જયંતી ભાનુશાળીના કેસમાં નલિયાકાંડ જેવુ કઈ હોય શકે ? શું પૈસાના જોરે આખા કેસને દબાવવાના થઈ રહ્યા છે પ્રયાસો ? શું મહિલા વિરૂદ્ધ ફરિયાદ કરી મહિલાને ડરાવવાના પ્રયાસ થઈ રહ્યા?