મહેસાણા દૂધસાગર ડેરીના એકજ્યુકેટિવ ડિરેક્ટર સામે ફરિયાદ કરવામાં આવી છે. ફેકટરીના મેનેજર જગુદાણ સાગરદાણ સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. વર્ષ 2015માં ઊંચા ભાવે મોલાસીસ ખરીદવાના મામલે ફરિયાદ કરવામાં આવી છે. મહેસાણા જિલ્લા રજીસ્ટારે ફરિયાદ નોંધાવી છે. ડિરેક્ટર એન.પી. સંચેતી અને મેનેજર મનોજ ગોસ્વામી સામે ફરિયાદ કરવામાં આવી છે.
બજાર ભાવ કરતા ઊંચા ભાવે મોલાસીસ ખરીદ્યું હતું. બંને અધિકારીએ ખરીદીમાં ડેરીને રૂપીયા 1 કરોડ 10 લાખનું પહોચાડ્યું નુકસાન હતું. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મહેસાણા દૂધસાગર ડેરી વધુ એક વખત કૌભાંડ ના મામલે વિવાદમાં સપડાઈ છે.ડેરીના એકજ્યુક્યુટિવ ડિરેક્ટર એન પી સંચેતી અને જગુદણ સાગર દાણ ફેકટરી ના મેનેજર સામે ડેરી ને 1.10 કરોડ નું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.
આ મામલે મહેસાણા જિલ્લા રજીસ્ટાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાઈ છે.ડેરી ના એકજ્યુક્યુટિવ ડિરેકટર એન પી સંચેતી અને જગુદણ સાગર દાણ ફેકટરીના મેનેજર મનોજ ગોસ્વામી સામે 1.10 કરોડ ની ઉચાપત ના મામલે નોંધાયેલી ફરિયાદ ને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જિલ્લા રજીસ્ટાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2015માં કિંજલ કેમિકલ નામની કંપની પાસેથી બજાર ભાવ કરતા ઊંચા ભાવે દૂધસાગર ડેરીમાં મોલાસીસ ખરીદ્યું હતું.અગાઉ કિંજલ કેમિકલને દૂધસાગર ડેરીએ ઓર્ડર આપ્યો ત્યારે મોલાસીસ યુનિટનો ભાવ 8600 હતો.
પણ નિયત સમય મર્યાદામાં કિંજલ કેમિકલે ઓર્ડર પૂર્ણ નહોતો કર્યો. ત્યારબાદ મોલાસીસનો ભાવ ઘટીને 6000 થયો હતો.આમ છતાં પી ઓ ઓર્ડર બદલીને કિંજલ કેમિકલ પાસેથી 8000 ના ભાવે મોલાસીસ ખરીદાયુ હતું. ડેરીને આ બંને અધિકારીએ 1.10 કરોડનું આ ખરીદીમાં નુકસાન પહોચાડ્યું હતું.