અમદાવાદ: રાજ્ય અને દેશમાં એક બાદ એક સંતો-સ્વામીઓ વિરૂદ્ધ દુષ્કર્મ અને અડપલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે ફરી કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વિશ્વસ્વરૂપ સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે મંદિરમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થી સાથે સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. શારિરીક અડપલાની સાથે-સાથે વિદ્યાર્થીને માર પણ માર્યાના આક્ષેપ લગાવાયા હતા. પોલીસે હાલ ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે મંદિરમાં વિદ્યાર્થીઓ વાંચવા માટે આવે છે. ત્યારે તે દરમિયાન વિશ્વસ્વરૂપ સ્વામી દ્વારા આ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે ગુનો નોંધાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.