Complaint in Ahmedabad against Tejashwi Yadav : બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ, 1મે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
તેજસ્વી યાદવે દરેક ગુજરાતીનું અપમાન કર્યું છે: ફરિયાદી
બિહારના DyCM તેજસ્વી યાદવ વિરૂદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધી બાદ હવે બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ આ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગુજરાતીઓનાં અપમાનને લઈ બિહારનાં નાયબ મુખ્યમંત્રી વિરુધ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. વિગતો મુજબ અરજદાર હરેશ પંડ્યાએ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ છે. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે પણ મોદી સરનેમને લઈ આપેલ નિવેદનને લઈ ફરિયાદ નોંધાયા બાદ તેમને સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા આપવામાં આવેલ છે.
Gujarat | A petition has been filed in the Metro Court of Ahmedabad against the Deputy Chief Minister of Bihar, Tejashwi Yadav to take strict action against him for allegedly calling Gujaratis as 'Thug, Dhootara'.
શું છે સમગ્ર મામલો ?
અરજદાર હરેશ પંડ્યાએ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ નોંધાવેલ ફરિયાદ મુજબ બિહારના DyCM તેજસ્વી યાદવે દરેક ગુજરાતીનું અપમાન કર્યું છે. ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ ,ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોને દ્રષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સાથે કહ્યું છે કે, તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.
ક્યારે આપ્યું હતું નિવેદન ?
બિહારના DyCM તેજસ્વી યાદવે 22 માર્ચ 2023નાં રોજ નિવેદન આપ્યું હતું. જેમાં અરજદાર હરેશ પંડ્યાએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર ક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નહીં હોવાનું અરજદારે જણાવ્યું છે. આ સાથે બિહારનાં DyCM તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માગ કરાઇ છે. જોકે આ સમગ્ર મામલે હવે 1મે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.