ભાવનગર એનએસયુઆઈ ઉપપ્રમુખે કોલેજના ઈન્ચાર્જ આચાર્યને લાફો ઝીંકી દેતા સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગર શહેર NSUI ઉપપ્રમુખ સામે ફરિયાદ
ગિરીરાજસિંહ સામે કોલેજના આચાર્યને લાફો મારવાની ફરિયાદ
એડમિશનની રજૂઆત દરમિયાન બોલાચાલી થતા જડી દીધો લાફો
ભાવનગરમાં કાળિયાબીડમાં આવેલી સરદાર પટેલ સંકુલની જી.એલ. કાકડિયા કોલેજમાં અગાઉ સરદાર પટેલ સ્કૂલમાંથી કાઢી મૂકેલા એક વિદ્યાર્થીને પ્રવેશ કોલેજના આચાર્ય સામે ઉગ્ર બોલાચાલી દરમિયાન આચાર્યને લાફો ઝીંકી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે જો કે ભાવનગર એનએસયુઆઈ ઉપપ્રમુખે કોલેજના પ્રિન્સિપાલને લાફો ઝીંકી દેતા સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગર શહેર NSUI ઉપપ્રમુખ સામે ફરિયાદ
એનએસયુઆઈ પ્રમુખ ગિરિરાજસિંહ વાળાએ આ શાળાના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ.અમિત ગાલાણીને લાફો મારી તું બહાર નીકળ એવી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે ઈન્ચાર્જ આચાર્યને તારે અહીંથી જ દરરોજ નીકળવાનું છે, ભાંગી નાખીશ કરીને ધમકી આપી હતી ઉપપ્રમુખ ગિરીરાજસિંહ સામે ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે, મહત્વનું છે કે ગિરીરાજસિંહ એડમિશનની રજૂઆત દરમિયાન બોલાચાલી થતા ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાનું ઈન્ચાર્જ આચાર્યએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
વિદ્યાર્થીનો ટ્રેક રેકોર્ડ સારો ન હોવાનું કહી પ્રવેશ આપવાનો કર્યો ઈન્કાર
એક વિદ્યાર્થીના એડમિશનની રજૂઆત કરવા ગિરીરાજસિંહ ગયા હતા પરતું વિદ્યાર્થીનો ટ્રેક રેકોર્ડ સારો ન હોવાનું કહી જી.એલ. કાકડિયા કોલેજના ઈન્ચાર્જ આચાર્યએ એડમિશન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ ભાવનગર શહેર NSUI ઉપપ્રમુખ ગિરીરાજસિંહ વાળા લાફો ઝીંકી દેતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીંમ ગિરારજસિંહે લાફો મારી ધમકી આપ્યાની ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગાલાણીએ ફરિયાદ નોંધાવી છે.
લાફો મારવાનો શુ છે સમગ્ર મામલો
અહેવાલ મુજબ અક્ષય હુંબલ નામના વિદ્યાર્થી સરદાર પટેલ શાળામાં 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો ત્યારે ગેરશિસ્તને કારણે તેને શાળામાંથી રસ્ટિકેટ કરાયો હતો અને આ વિદ્યાર્થીને 12મા ધોરણમાં માસ પ્રમોશનને કારણે તે પાસ થઈ જતાં તેની સરદાર પટેલ સંસ્થાની જી.એલ. કાકડિયા કોલેજમાં પ્રવેશ મેળવવો હતો, પરંતુ તેનો શાળામાં ટ્રેક રેકોર્ડ સારો નહિ હોવાથી ટ્રસ્ટીઓએ તેને એડમિશન આપવાની મનાઈ કરી હતી કોલેજમાં પ્રવેશની મનાઇ કરતા બોલાચાલી બાદ આચાર્યને લાફો માર્યાની ઘટના કોલેજમાં વાયુવેગે ફેલાઈ જતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે તો સમગ્ર મામલાની પોલીસ ફરિયાદ નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.