સોની પરિવારના સામૂહિક આપઘાતના મામલે 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી 5 જ્યોતિષીઓએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે.
9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
5 જ્યોતિષીઓએ જામીન અરજી કરી
12 માર્ચે થશે સુનાવણી
વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાતના મામલે 9 જ્યોતિષીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી 5 જ્યોતિષીઓએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. જયારે અમદાવાદના જ્યોતિષ પ્રહલાદ જોષીની અરજી પર સુનાવણી થઇ છે. જયારે અન્ય 4 જ્યોતિષીઓની અરજી પર 12 માર્ચે સુનાવણી થશે. જયારે આમાંથી રાજસ્થાનના પુષ્કરના જ્યોતિષ ખીનરાજ જોષીનું મૃત્યુ થયું છે.
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો હતો. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3 લોકોના તુરંત મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાંથી દિપ્તી સોનીનું પણ હવે મૃત્યુ થઈ ગયું છે.
કયા કયા જ્યોતિષીઓએ પડાવ્યા નાણાં?
1. સમીર જોષી, રહે રાણીપ, અમદાવાદ
2. હેમંત જોષી, ગોત્રી કેનાલ પાસે, વડોદરા
3. વિજય જોષી, અમદાવાદ
4. અલકેશ જોષી, અમદાવાદ
5. સાહિલ વોરા, આર્યુવેદીક ત્રણ રસ્તા, વડોદરા
6. સ્વરાજ જ્યોતિષ, અમદાવાદ
7. પ્રહલાદ, અમદાવાદ
8. દિનેશ, અમદાવાદ
9. અજાણ્યો સક્ષ, પુષ્કર