ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. જે મામલે જયંતિ ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ગાંધીધામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી. આ હત્યા મામલે ભાજપના નેતા છબીલ પટેલ મનીષા ગોસ્વામી સિદ્ધાર્થ પટેલ જયંતિલાલ ઠક્કર તથા ઉમેશ પરમાર એમ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. તેમજ વધુ તપાસ અર્થે ગાંધીધામ પોલીસની એક ટીમ અમદાવાદ પહોંચી છે.
કોણ છે જયંતિ ઠક્કર?
- જયંતિ ઠક્કર બિલ્ડરલોબી સાથે જોડાયેલો છે
- જયંતિ ભાનુશાળીનો નજીકનો વ્યક્તિ છે જયંતિ ઠક્કર
- વિધાનસભાની ચૂંટણી સમયે ભાનુશાળી સાથે થયો હતો વિવાદ
- જમીન મુદ્દે પણ ભાનુશાળી અને જયંતિ ઠક્કર વચ્ચે ચાલતો હતો વિવાદ
કોણ છે ઉમેશ પરમાર?
- ઉમેશ પરમાર પત્રકારત્વના વ્યવસાથ સાથે સંકળાયેલો છે
- ઉમેશ પરમારે જયંતિ ભાનુશાળીની વીડિયો ક્લીપો કરી હતી વાયરલ
- જયંતિ ભાનુશાળીના દુષ્કર્મ અંગેની વીડિયો ક્લીપ ઉમેશ પરમારે કરી હતી વાયરલ
જયંતિ ભાનુશાળીની હત્યા બાદ 5 લોકો સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે તેમાનું એક નામ મનીષા ગોસ્વામીનું પણ છે. ત્યારે VTVની ટીમ મનીષા ગોસ્વામીના વાપી સ્થિત નિવાસ સ્થાને પહોંચી હતી. જો કે આ મકાનમાં માત્ર મનીષા ગોસ્વામીના બાળકો જ રહેતા હોવાનું સામે આવ્યું છે. મનીષા ગોસ્વામી છેલ્લા 10 દિવસથી તેના નિવાસસ્થાને જોવા નથી મળી તેવું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને રાજ્યભરમાં ચકચાર મચી ગઈ છે. સરકારથી લઈને પોલીસ તંત્ર પણ દોડતું થયું છે. આ મામલે ATS ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. CID ક્રાઇમના DG આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી એક વ્યક્તિ સાથે બેઠા હતા. ઘટના બની ત્યારે તે વ્યક્તિ બાથરૂમ ગયો હતો. જ્યારે તે વ્યક્તિ પરત આવ્યો ત્યારે ભાનુસાળીની હત્યા થઇ ગઇ હતી. તે વ્યક્તિએ રેલવેના ટીટીને જાણ કરી હતી. ત્યારબાદ ટીટીએ રેલવે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસે હત્યા મુદ્દે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
કમ્પાર્ટમેન્ટમાંથી 3 જીવતા કારતૂસ મળી આવ્યા. કમ્પાર્ટમેન્ટમાંથી બે ફુટેલા કારતૂસ પણ મળ્યા છે. એક કારતૂસની ફૂટેલી બુલેટ પણ મળી આવી. કન્ટ્રી મેડ હથિયારનો ઉપયોગ થયો છે. જયંતિ ભાનુસાળીની બેગમાંથી સર્વિસ રિવોલ્વર મળી. રિવોલ્વરમાં લાઇવ કારતૂસ પણ હતા. 7.65 mm પિસ્તોલથી ગોળી મારી. જયંતિ ભાનુશાળી પર નજીકથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.