જૂનાગઢના પૂર્વ મેયરના દીકરાની હત્યાના મામલે આરોપીને ઝડપી લેવાયા છે. અંતે ધર્મેશ પરમારનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. આ મામલે રાવણ લાખાભાઇ પરમારે ફરિયાદ નોંધાવી છે. આ મામલે 19 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓમાં ભાજપ અગ્રણી અને ભાજપ મહિલા કોર્પોરેટર સહિત 19 લોકોના નામ આપવામાં આવ્યા છે. જેમાં મુખ્ય 5 આરોપીને ઝડપી લેવામાં આવ્યાં છે.
વડગામના ધારસભ્ય જિગ્નેશ મેવાણી પણ જૂનાગઢ પહોંચ્યા
જૂનાગઢના પૂર્વ મેયર લાખા પરમારના પુત્રની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે ધર્મેશ પરમારની હત્યાનો મામલો ગરમાયો છે. વડગામના MLA જિગ્નેશ મેવાણીએ પરિવાર સાથે મુલાકાત કરી છે. સાથે પોલીસ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમને મૃતકના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે. પરિવાર દ્વારા અપાયેલા નામો સામે ફરિયાદ કરવા માંગ કરી છે. ફરિયાદમાં માત્ર હત્યા કરવા પીછો કરનાર 3 આરોપીઓના જ નામ છે. હત્યાના ષડયંત્રમાં 17 લોકો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કર્યો છે. નામ આપેલા લોકો સામે ફરિયાદ નહીં નોંધાય તો સામૂહિત આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
શું છે સમગ્ર મામલો
મહત્વનું છે કે, જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા કરી દેવાઈ છે. પૂર્વ મેયર રહેલા લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટના બીલખા રોડ પર રામનિવાસ નજીક બની હતી. જ્યાં ધર્મેશ પરમારને જાહેરમાં અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ધા માર્યા હતા. સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ધર્મેશ પરમારને મૃત જાહેર કરાયો હતો.