ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના પૂર્વ પ્રમુખ તથા પંચમહાલ ભાજપના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી સામે રૂ.2.40 કરોડની નાણાંકીય ઉચાપત કરવા મામલે ગોધરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પંચામૃત ડેરીમાં રૂ.2.40 કરોડની નાણાંકીય ઉચાપત
ભાજપના નેતા અને ડેરીના પૂર્વ પ્રમુખ સામે નોંધાઇ ફરિયાદ
2008 થી 2010 ના નાણાકીય વર્ષ દરમિયાન કરાઇ ઉચાપત
ભાજપના પૂર્વ સાંસદ વિરૂધ્ધ આ પ્રકારની મોટી ઉચાપતની ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો. આ સાથે જ પંચામૃત ડેરીમાં કર્મચારીઓએ જેતે સમયે પૂર્વ આયોજિત કાવતરુ રચીને નાણાકીય ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતુ.
2.40 કરોડ રુપિયાની કરાઇ ઉચાપત
નોંધનીય છે કે, ડેરીમાં અલગ અલગ હોદ્દા પર રહેલા 9 જેટલા વ્યક્તિઓએ પોતાના અંગત લાભ ખાતર ડેરીમાંથી વિતરણ કરવામાં આવેલ દુધ તથા છાશના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને રૂપિયા 2. કરોડ 40 લાખથી વધુની ઉચાપત કરી હતી.
2008 થી 2010 ના નાણાકીય વર્ષ દરમિયાન કરાઇ ઉચાપત
આપને જણાવી દઇએ કે પંચામૃત ડેરી કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 2008-09 તથા 2009-10ના નાણાંકીય વર્ષનું સ્પેશ્યલ ઓડીટર (મીલ્ક) દ્વારા ઓડીટ કરવામાં આવ્યુ હતુ. આ ઉચાપત વર્ષ 2008થી 31 માર્ચ 2009ના નાણાંકીય વર્ષના સ્પેશિયલ ઓડિટર દરમિયાન પંચમહાલ જિલ્લા સહકારી ઉત્પાદક સંઘ લી. પંચામૃત ડેરીમાં કરવામાં આવી હતી.
ડેરીના ડેપ્યુટી જનરલ મેનેજર નોંધાવી ફરિયાદ
ડેરીના ડેપ્યુટી જનરલ મેનેજર ચિરાગ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવેલ કે અમારી આ સંસ્થાના દુધ સંપાદન વિભાગ ધ્વારા દુધ સંધને સંયોજીત દુધ મંડળીઓનું દુધ સંપાદીત કરીને અમારી જ સંસ્થાના પ્રોડક્શન વિભાગને પહોંચતું કરવામાં આવે છે.