અમદાવાદમાં જાણે ઘર આંગણે દીકરીના લગ્ન લીધા હોય તેમ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયાના સ્વાગતની તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં નેતાઓની હાલત 'બેગાની શાદીમેં અબ્દુલા દિવાના' જેવી થઈ છે. અમુક જ મંત્રીઓને આ કામમાં પસંદ કરવામાં આવ્યા છે અને તેમને અમુક જવાબદારીઓ સોંપવામાં આવી છે ત્યારે જે મંત્રીઓને આમંત્રણ નથી મળ્યા તે લાગતા વળગતા ઓફિસરોને કોલ કરીને પોતાના સગાસંબધીઓ માટે કાર્યક્રમમાં પ્રવેશ પાસ માંગી રહ્યા છે.
CM રૂપાણીનું શું કહેવું છે?
પક્ષના કાર્યકરો આ મુદ્દે હડીએ ચઢ્યા
કાર્યક્રમમાં જવા માટે દરેકને પાસ નથી આપવામાં આવ્યા
સચિવાયલયમાં ઓફિસરો પાસે મંત્રીઓના ફોનકોલ્સ અને મનામણાં કરવામાં આવી રહ્યા છે. જાણો છો કેમ? કારણ કે, આ કાર્યક્રમમાં જવા માટે દરેકને પાસ નથી આપવામાં આવ્યા. ત્યારે મંત્રીઓ પોતાના સગાસંબધીઓ અને મિત્રો માટે ઓફિસરો પાસે પાસની માંગણી કરી રહ્યા છે.
CM રૂપાણીનું શું કહેવું છે?
આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, આ ઉદ્યોગપતિથી લઈને મોટા મોટા માથા વારંવાર પાસ અંગે ઈન્કવાયરી કરી રહ્યા છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે અમે તેમને થોડી રાહ જોવાનું જ જણાવ્યું છે. હા એ સત્ય છે કે, કાર્યકર્તાઓને આવા કાર્યક્રમમાં સાથે રાખવામાં આવે તો તેમનો પાર્ટી પર વિશ્વાસ વધે પરંતુ આ કાર્યક્રમ નેશનલ લેવલનો હોવાથી તેનું સંચાલન અમુક નીશ્ચિત મંત્રીઓ જ કરી રહ્યા છે.
પક્ષના કાર્યકરો આ મુદ્દે હડીએ ચઢ્યા
ભાજપના જ કાર્યકરોમાં આ મુદ્દે અસંમજસ ની સ્થિત નિર્માણ થઈ છે. એટલે જલદીથી આ અંગે કોઈ સમાધાન લાવવા રૂપાણી સરકાર કામે લાગી છે પરંતુ પાર્ટી સમર્થકોને જ પાસ ન મળતા હોવાને કારણે હાલ ભાજપ માટે જનપ્રતિનિધિઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.