રસ્તા પર ઘણા લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવતા દેખાય છે, જેના કારણે અકસ્માતો થતાં હોય છે. ખોટી દિશામાં વાહનો ચલાવતા થતી દુર્ઘટના પર દિલ્હીની રોહિણી કોર્ટે ચુકાદો આપ્યો છે.
રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સાવધાન
રોંગ સાઈડમાં વાહન ચલાવતી વખતે અકસ્માત થશે તો,
નહીં મળે તો વળતર
રસ્તા પર ઘણા લોકો રોંગ સાઈડમાં વાહનો ચલાવતા દેખાય છે, જેના કારણે અકસ્માતો થતાં હોય છે. ખોટી દિશામાં વાહનો ચલાવતા થતી દુર્ઘટના પર દિલ્હીની રોહિણી કોર્ટે ચુકાદો આપ્યો છે. હવે રોડ અકસ્માતમાં ખોટી દિશામાં વાહનો ચલાવતા દુર્ઘટનામાં શિકાર થવા પર પીડિતોને વળતર નહીં મળે.
રોહિણી કોર્ટે આપ્યો ચુકાદો
રોહિણી કોર્ટે એક કેસની સુનાણી દરમિયાન આ ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન રોહિણી કોર્ટે કહ્યું કે, પીડિતને ભલે ગંભીર રીતે ઈજા થઈ હોય, પણ જો કોઈ ખોટી દિશામાં વાહન ચલાવી રહ્યું છે. એટલા માટે તે વળતર માટે હકદાર નથી. આવું કહેતા કોર્ટે આ કેસને ફગાવી દીધો હતો.
હકીકતમાં જોઈએ તો, એક કેસમાં રાતના સમયે બાઈક પર સવાર બે યુવકો રસ્તા પર રોંગ સાઈડમાં ગાડી ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમની સામે આવી રહેલા વાહનોની ટક્કર થઈ ગઈ. દુર્ઘટનામાં એક યુવકનું મોત થઈ ગયું. જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા થઈ હતી.
બે યુવકો ખોટી દિશામાં જઈ રહ્યા હતા
હાલના દિવસોમાં આ કેસની સુનાવણી કરતા રોહિણી કોર્ટે કહ્યું હતું કે, આ ઘટના રાતના બે વાગ્યે બની હતી. તેનો અર્થ સ્પષ્ટ થાય છે કે, કોઈ સીધા રસ્તે આટલી રાતે જઈ રહ્યું હોય, કોઈ એવું વિચારી પણ ન શકે કે, પુરપાટ ઝડપે આવી રીતે કોઈ રોંગસાઈડમાં આવતું હોય.એટલું જ નહીં જે કારથી બાઈક સાથે દુર્ઘટના થઈ, તેની સ્પિડ પણ યોગ્ય ગતિમાં જ હતી. એટલા માટે કાર માલિક પર આ દુર્ઘટનાને લઈને પીડિત પરિવારોએ વળતર માટે દબાણ બનાવી શકે નહીં. એટલા માટે પીડિત પરિવારનો વળતરનો દાવો ફગાવી દીધો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે, આ મામલામાં બાઈક સવાર ખોટી દિશામાંથી આવી રહ્યો હતો, જેના કારણે બાઈક કારથી અથડાઈ ગઈ, જેમાં બાઈક પાછળ બેઠેલા યુવકનું મોત થઈ ગયું હતું. મૃતકના પરિજનોએ વળતર માટે દાવો કર્યો હતો, ત્યારે આવા સમયે રોડ અકસ્માતને લઈને કોર્ટે પોતાના ચુકાદા દ્વારા મહત્વની જાણકારી આપી છે. કારણ કે, મોટા ભાગના અકસ્માતો રોંગ સાઈડમાં વાહન ચલાવાથી થતાં હોય છે.