એક અહેવાલ મુજબ, શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં એમ્પ્લોયરોને હાલના કર્માચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકે છે
શ્રમ મંત્રાલય એમ્પ્લોયરોને પગાર માળખામાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકે
આગામી દિવસોમાં કર્માચારીઓને HRAમાં ઘટાડો થઈ શકે છે
શ્રમ મંત્રાલય સેવાની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે સ્ટેન્ડિંગ ઓર્ડર જાહેર કરશે
શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકે
એક અહેવાલ અનુસાર, શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં નોકરીદાતાઓને હાલના કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકે છે, ખાસ કરીને જેઓ કાયમી ધોરણે ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરફાર હેઠળ કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ઘટકમાં ઘટાડો થઈ શકે છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ રિઈમ્બર્સમેન્ટ ખર્ચમાં વધારો થઈ શકે છે.
આગામી દિવસોમાં કર્માચારીઓને HRAમાં ઘટાડો થઈ શકે છે
આ અહેવાલમાં અનુસાર શ્રમ મંત્રાલય સેવાની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે સ્ટેન્ડિંગ ઓર્ડર જાહેર કરી શકે છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં કર્માચારીઓને HRAમાં ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને એવા કર્માચારીઓકે જેઓ કાયમી ધોરણે ઘરેથી કામ કરવાનું પસંદ કરે છે. કારણ કે, શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં નોકરીદાતાઓને વર્તમાન કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરવાની મંજૂરી આપી શકે છે.
ઘરેથી કામ કરતા કર્મચારીઓ પર ધ્યાન આપો
સુત્રોએ જણાવ્યું હતું કે ઘરેથી કામ કરવાને કારણે થયેલા ખર્ચને ધ્યાનમાં રાખીને કર્મચારી વળતરની રચના કરવામાં આવે તેની ખાતરી કરવા માટે સેવાની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. કર્મચારીઓએ વીજળી અને વાઇફાઇ જેવા કેટલાક માળખાકીય ખર્ચને સહન કરવો પડે છે.અને આ વળતર માળખાનો ભાગ હોવા જરૂરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર હાલના તમામ વિકલ્પો પર કાળજીપૂર્વક વિચાર કરી રહી છે અને ટૂંક સમયમાં આ અંગે કેટલાક નક્કર પગલાં લઈ શકે છે.