ખાદ્ય તેલનાં ભાવમાં એક અઠવાડિયાની અંદર ઘટાડો થશે. ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતુ કે ખાદ્ય તેલની કંપનીઓને પ્રતિ લિટર 10 રૂપિયા ભાવ ઘટાડવાનાં આદેશ આપવામાં આવ્યા છે.
ખાદ્ય તેલનાં ભાવ ઘટશે
ઓઇલ કંપનીઓને અપાયો આદેશ
પ્રતિ લિટર 10 રૂપિયા ભાવ ઘટાડવા આદેશ
આસામાન આંબી રહેલી મોંઘવારીને જમીન પર સ્થિર કરવા મોદી સરકાર એક પછી પગલાં ભરી રહી છે.
પેટ્રોલ-ડીઝલ, સિમેન્ટ, સ્ટીલના ભાવ ઘટાડા બાદ હવે સરકાર ખાદ્ય તેલની કિંમતોને કાબુમાં લેવાના પગલાં ભરવાનું શરુ કર્યાં છે. ત્યારે હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે.
ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય તેલનાં ભાવમાં એક અઠવાડિયાની અંદર ઘટાડો થશે. આ માટે ખાદ્ય તેલની કંપનીઓને આદેશ આપવામાં આવ્યા છે.
ભાવ ઘટાડવા માટે કંપનીઓને એક અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો હોવાનું ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું.
Companies asked to cut MRP of edible oils by up to Rs 10/litre within a week: Food Secretary Sudhanshu Pandey
આ ઉપરાંત તેલનાં ભાવ દેશભરમાં એકસરખા રાખવામાં આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. જેનાં કારણે અવ્યવસ્થા ન સર્જાય અને અમુક વિસ્તારોમાં કાળાબજાર જેવી સ્થિતિ ઊભી ન થાય.
Cos asked to maintain uniform MRP across the country for same brand of edible oils: Food Secretary
ગ્રાહકોની એવી ફરિયાદ જોવા મળતી હોય છે કે ખાદ્ય તેલની પ્રોડક્ટમાં દર્શાવવામાં આવેલી કિંમત કરતાં પેકેટની અંદર ઓછી ક્વોન્ટિટી હોય છે. આ સમસ્યાનું પણ યથાયોગ્ય નિવારણ લાવવામાં આવશે.
Address rising consumer complaints of less quantity of edible oils being sold in packets compared to quantity displayed: Govt to cos
ભારત 60 ટકા ખાદ્ય તેલ વિદેશમાંથી મંગાવે છે
ભારત ખાદ્ય તેલની 60 ટકાથી વધુ આયાત કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપરાંત ઇન્ડોનેશિયા દ્વારા નિકાસ પર પ્રતિબંધને કારણે આયાત પર અસર પડી છે. આ કારણે વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે સરકારે ભાવ ઘટાડાને લઈને ગત વર્ષે પણ અનેક મહત્વના નિર્ણયો લીધા હતા.
અગાઉ પણ ભાવ ઘટાડવા લીધા હતા પગલાં
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સરકારે બે મહત્વના તેલ સોયાબિન અને સનફ્લાવર તેલ પરની કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસ જતી કરી દીધી હતી. સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાંથી આવતા સોયાબિન અને સનફ્લાવર પર કોઈ ટેક્સ નહીં લાગે આને કારણે ઘરેલુ મોરચે બન્ને તેલ સસ્તા થઈ જશે.
માર્ચ 2024 સુધી ટેક્સ ફ્રી રહેશે સોયાબિન અને સનફ્લાવર તેલની આયાત
નોટિફિકેશનમાં એવું પણ જણાવાયું હતું કે 20 લાખ મેટ્રિક ટન સોયાબિન અને સનફ્લાવરની આયાત પર કસ્ટમ્સ ડ્યુટી અને એગ્રી સેસને માર્ચ 2024 સુધી મુક્તિ આપવામાં આવી છે.