એમ્સના ડોક્ટર અને ICMRના સંશોધન સમૂહના 2 સભ્યો સહિત સ્વાસ્થ્ય નિષ્ણાંતના સમૂહનું કહેવું છે કોરોનાના કેસ દેશના ગીચ અને સાધારણ વસ્તીવાળા વિસ્તારોમાં કોરોના વાયરસ સંક્રમણના સામુદાયિક પ્રસાર એટલે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન (community transmission)ની પુષ્ટિ થઇ ચુકી છે.
દેશમાં કોરોના સંકટને લઇને નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા
કમ્યુનિટી સંક્રણમણથી થઇ ચૂકી છે પુષ્ટિ
પ્રધાનમંત્રી મોદીને સુપરત કરાયો અહેવાલ
તો સરકાર પણ વારંવાર કહી રહી છે કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સામુદાયિક પ્રસારના સ્તર પર નથી પહોંચ્યું જ્યારે સોમવાર સુધી દેશમાં કોરોના વાયરસથી મરનારની સંખ્યા 5,394 સુધી પહોંચ્યો અને સંક્રમણના કુલ મામલાઓ 1,90,535 થઇ ગયા છે.
અહેવાલ પ્રધાનમંત્રીને સુપરત કરાયો
ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશન (આઈપીએચએ), ઇન્ડિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન (આઈએપીએસએમ) અને ભારતીય મહામારીવિદ એસોસિએશન (આઈએઈ) ના નિષ્ણાતો દ્વારા સંકલિત એક અહેવાલ વડા પ્રધાનને સુપરત કરવામાં આવ્યો છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "દેશના ગીચ અને સાધારણ વસ્તીવાળા વિસ્તારોમાં કોરોના વાયરસના ચેપનો સમુદાય વ્યાપક પુષ્ટિ કરવામાં આવી છે અને આ તબક્કે કોવિડ -19 ને દૂર કરવા અવાસ્તવિક લાગે છે."
ચોથા તબક્કામાં પહોંચ્યું સંક્રમણ
રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન મહામારીના પ્રસારને રોકવા અને પ્રબંધન માટે પ્રભાવી યોજના બનાવી રાખવા માટે કરવામાં આવ્યું હતું જેથી સ્વાસ્થ્ય સેવા પ્રણાલી પ્રભાવિત ન થાય. આ સંભવ થઇ રહ્યું છે કારણ કે, નાગરિકોને થઇ રહેલી અસુવિધા અને અર્થ વ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસમાં ચોથા તબક્કામાં રાહત આપવામાં આવી છે.
ભારત સરકારે રોગચાળાના નિષ્ણાતોની સલાહ લીધી
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત સરકારે રોગચાળાના નિષ્ણાતોની સલાહ લીધી હશે, જેમની પાસે અન્ય લોકો કરતા વધુ સારી સમજ છે, અને કદાચ વધુ સારા પગલા લેવામાં આવ્યા હોત." નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે સરકારને વર્તમાન જાહેર માહિતીના આધારે ચિકિત્સકો અને શૈક્ષણિક મહામારીના નિષ્ણાંત દ્વારા સલાહ આપવામાં આવી હતી.
કોરોનાના કેટલા સ્ટેજ ?
સરકારનું માનવું છે કે, હજી ભારત કોરોના વાયરસના બીજા તબક્કામાં છે, જ્યારે કેટલાક નિષ્ણાંતો એ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે કે, ત્રીજો તબક્કો શરૂ થઇ ગયો છે. એવામાં સવાલ એ ઉઠી રહ્યા છે કે, આખરે કોરોનાના કેટલા તબક્કા છે અને કયો તબક્કો સૌથી ખતરનાક છે.
પ્રથમ તબક્કો- આ તબક્કામાં સંક્રમણ માત્ર એવા લોકોમાં જ જોવા મળ્યું જેઓ વાયરસ પ્રભાવિત દેશમાંથી આવ્યા હતા, સંક્રમણ અટકાવવાનો આ સૌથી સારો સમય હતો.
બીજો તબક્કો- આ તબક્કામાં લોકલ ટ્રાન્સમિશન સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. જેમાંથી વિદેશથી પરત ફરેલ શખ્સના પરિવારજનો, સગા-સંબંધીઓ તથા મિત્રો સંક્રમિત થઇ શકે છે. આ તબક્કામાં એ ખબર પડે છે કે, વાયરસ ક્યાંથી ફેલાઇ રહ્યો છે અને ત્યારે તેને અટકાવી શકાય તેમ હતું.
ત્રીજો તબક્કો- જેને કમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ કહેવામાં આવે છે, જેમાં એવા લોકો પણ કે જેઓ કોઈ પણ દેશમાંથી પાછા ફર્યા નથી અને આવા લોકો સાથે સંપર્કમાં નથી. તે ચેપ ક્યાંથી આવ્યું તે જાણી શકાયું નથી અને તે કિસ્સામાં નિવારણ મુશ્કેલ બને છે.
ચોથો તબક્કો- કોઈપણ રોગચાળાના છેલ્લા તબક્કામાં ચોથો તબક્કો હોય છે. આ તબક્કે, કોઈ સમાધાન શોધવું મુશ્કેલ બને છે. ચેપ એટલો ઝડપથી ફેલાય છે કે કઠોર નિર્ણયો પણ બિનઅસરકારક લાગે છે.