ઔરંગાબાદ: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ગત કાત્રે બે સમુદાયોની વચ્ચે હિંસા ભડકી ઊઠી હતી. ઔરંગાબાદના જૂના વિસ્તારમાં હાલમાં પણ તણાવની સ્થિતિ બનેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે એક ઝઘડાએ બંને સમુદાયની વચ્ચે હિંસક રૂપ લઇ લીધું હતું. ત્યારબાદ સાંપ્રદાયિક હિંસા શહેરના ગાંધીનગર રાજાબાજાર અને શાહગંજ વિસ્તારમાં પણ ફેલાઇ ગઇ.
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારની રાતથી જ હિંસક પતોફાનો ચાલુ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બંને સમુદાયના લોકોએ જોરદાર પથ્થરમારો કર્યો અને દુકાનોને આગ ચાંપી દીધી. હિંસ તોફાનોમાં 25 લોકો ઘાયલ થયા જેમાં 15 પોલીસકર્મી છે. પોલીસના ઘણા અધિકારીઓ પણ ઘાયલ થયા છે.
પોલીસે તોફાનો પર કાબૂ મેળવવા માટે ગોળીબાર પણ કર્યો જેમાં એક બાળક ઘાયલ થયું છે. હિંસા પર કાબૂ મેળવવા માટે ઔરંગાબાદના જૂના ભાગમાં મોટી સંખ્યામાં પોલિસની તૈનાતી કરવામાં આવી છે અને ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે.
પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી જાણવા મળ્યું નથી કે હિંસા કઇ વાતને લઉવને ભડકી. કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદે રીતે લગાવવામાં આવેલી પાણીની પાઇપ લાઇન કાપવામાં ભેદભાવના કારણે આ ઝઘડો શરૂ થયો. હાલમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળ તૈનાત છે અને તણાવ જેવી સ્થિતિ બનેલી છે.