ખાવાની તમામ વસ્તુઓ ફ્રીજમાં ના મુકવી જોઈએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે, જે ફ્રીજમાં રાખવામાં આવે તો ખરાબ થઈ જાય છે.
ગરમીમાં લગભગ તમામ વસ્તુ ફ્રીજમાં સ્ટોર કરવામાં આવે
અમુક વસ્તુ ફ્રીજમાં રાખવામાં આવે તો ખરાબ થઈ જાય છે
ફ્રીજમાં કઈ વસ્તુ ના મુકવી જોઈએ
ગરમીમાં વસ્તુ ખરાબ ના થાય તે માટે લગભગ તમામ વસ્તુ ફ્રીજમાં સ્ટોર કરવામાં આવે છે. ખાવાની તમામ વસ્તુઓ ફ્રીજમાં ના મુકવી જોઈએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે, જે ફ્રીજમાં રાખવામાં આવે તો ખરાબ થઈ જાય છે. તે વસ્તુઓ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ફ્રીજમાં કઈ વસ્તુ ના મુકવી જોઈએ
બ્રેડ-
બ્લેડ ફ્રીજમાં રાખવામાં આવે તો જલ્દી સુકાઈ જાય છે અને ખરાબ થઈ શકે છે. બ્રેડ ફ્રીજમાં રાખ્યા પછી તેનો સ્વાદ બદલાઈ જાય છે અને પાચન સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.
ટામેટા-
ટામેટા ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ અને ટેક્સચર ખરાબ થઈ શકે છે. ઉપરાંત જલ્દી પોચા પડી જાય છે.
મધ-
મધ ફ્રીજમાં મુકવામાં આવે તો કડક થઈ જાય છે અને જામી જાય છે. મધ અનેક વર્ષો સુધી ના બગડે તે માટે મધ હંમેશા બહાર જ રાખવું જોઈએ.
તરબૂચ-
તરબૂચ ફ્રીજમાં રાખવાથી તેનો રંગ, ટેસ્ટ અને ટેક્સચર ખરાબ થઈ શકે છે. તરબૂચ બહાર રાખવાથી તેમાં એન્ટી ઓક્સિડેન્ટ જળવાઈ રહે છે.
બટાકા-
બટાકા ફ્રીજમાં રાખવાથી તેમાં રહેલ સ્ટાર્ચ શુગરમાં પરિવર્તિત થઈ જાય છે. આ કારણોસર બટાકાના સ્વાદ પર અસર થાય છે અને તે ગળ્યા લાગે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)