મોબાઇલ સહિત ડિવાઇસમાં વપરાતી બેટરીની વધુને વધુ એડવાન્સ્ડ થઇ રહી છે. જોકે હજુ પણ મોટાભાગના યુઝર્સમાં મોબાઇલની બેટરી અંગે ઘણી ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઓવર ચાર્જ કરવાથી ફોનની બેટરીને મોટું નુકસાન થાય છે. ઓવર ચાર્જિંગ પણ ફોનની બેટરી ફૂટવા માટેનું કારણ બની શકે છે. પરંતુ ખરેખર તેવું નથી.
નિષ્ણાતો કહે છે કે ફોનની બેટરીમાં એવી સિસ્ટમ આપવામાં આવી છે, જ્યારે ફોન સંપૂર્ણ ચાર્જ થાય ત્યારે એક ખાસ સર્કીટ બેટરીને મળતો પાવર ડિસ્કનેકટ કરી દે છે. એપલે આઇફોન 10 અને આઇફોન 11 માં બેટરી ચાર્જિંગને ઓપ્ટિમાઇઝ કર્યું છે. જેથી જયારે 80 ટકા બેટરી સમાપ્ત થઈ જાય છે ત્યારે ફોન એપ્લિકેશનને બેટરી ડ્રેઇન કરતી રોકે છે.
એક એવી માન્યતા પણ છે કે બેટરી પરેપુરી ડિસ્ચાર્જ થાય પછી ચાર્જ કરવાથી બેટરીની લાઇફ વધે છે. જોકે નિષ્ણાતો કહે છે કે આમ કરવાથી ફોનની બેટરીને નુકસાન થાય છે. ડિસ્ચાર્જ બેટરીમાં રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને તેનાથી બેટરી બેકઅપ ઘટે છે ઘણી કંપનીઓ આ સમસ્યાને દૂર કરવા માટે ફોનમાં બેટરી મેનેજમેન્ટ ફિચર આપે છે. જે એપ્લિકેશનને ઓપ્ટિમાઇઝ કરીને બેટરીને સાવ ડિસ્ચાર્જ થતાં રોકે છે,.બેટરી બેકઅપ વધારવા માટે ફોનમાં હાલની સુવિધાઓનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત જે એપનો ઉપયોગ ન હોય તેવી એપ્લિકેશન મોબાઇલમાંથી ડિલીટ કરી દેવી જોઇએ. ઘણા લોકો એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જેવા સ્થળે આવેલા ચાર્જિંગ પોઇન્ટથી ફોન ચાર્જ કરે છે.
પરંતુ તેમાં વ્યક્તિગત ડેટા લીક થવાનું જોખમ રહે છે. તેથી પ્રવાસ દરમિયાન ફોનને ચાર્જ કરવા માટે પાવરબેંકનો ઉપયોગ કરવો જોઈએ, જે ખૂબ સલામત પદ્ધતિ છે. ઘણા લોકો માને છે કે મોબાઇલ કેપની દ્વારા અપાયેલા ઓરિજનલ ચાર્જરથી ચાર્જ કરવો જોઈએ, કારણ કે તે બેટરીને નુકસાન કરતું નથીપરંતુ નિષ્ણાતો કહે છે કે, અન્ય ચાર્જર કે કેબલથી ચાર્જ કરવાથી બેટરીને નુકસાન થતું નથી. જો કે તેનાથી ફોનની ચાર્જિંગ સ્પીડ થોડી ઓછી થાય છે.