વજન ઓછું કરવા માટે લોકો હેલ્ધી લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ રૂટિન ફોલો કરે છે પણ ડાયટિંગ દરમ્યાન નબળાઈ ફીલ થાય, આખો દિવસ ભૂખ્યા હોવ એવું ફીલ થાય છે, તો તમે કેટલીક ભૂલો કરી રહ્યાં છો. જેના કારણે તમારા શરીરને પૂરતાં ન્યૂટ્રિઅન્ટ્સ મળતાં નથી અને તેનાથી વજન તો ઘટતું નથી સાથે નુકસાન પણ થાય છે. જેથી વજન ઉતારતી વખતે આ 4 ભૂલો ક્યારેય કરવી નહીં.
વજન ઉતારવું હોય તો ન કરતાં આ કામ
આવી ભૂલોને કારણે શરીર થઈ જાય છે નબળું
વજન ઉતારવા આટલી બાબતો જાણી લો
ઓછી કેલરી લેવી
દરેક વ્યક્તિએ રોજ 1200થી 1500 કેલરી ઈનટેક કરવી જોઈએ. જો આનાથી ઓછી કેલરી ઈનટેક થાય તો બોડીમાં નબળાઈ અને ઊર્જાની કમી થાય છે. જેથી પૂરતાં પ્રમાણમાં કેલરી ઈનટેક જરૂરી હોય છે. તો તમે યોગ્ય રીતે ડાયટ ફોલો કરીને વજન ઘટાડી શકો છો.
પ્રોટીન વધુ લેવું
પ્રોટીન મસલ્સ બનાવવા માટે જરૂરી હોય છે પણ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં પ્રોટીન ડાયટમાં લેવાથી બોવેલ મૂવમેન્ટ બગડે છે, ગભરામણ, બ્લોટિંગ, તરસ લાગવી, દુખાવા જેવી પરેશાનીઓ થાય છે. જેથી માત્ર પ્રોટીન ડાયટ ફોલો કરવું નહીં.
અનાજ ન ખાવું
વજન ઘટાડતાં લોકો મોટાભાગે અનાજ ખાવાનું છોડી દે છે. આ લોકો માને છે કે અનાજમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે વજન વધારે છે. પણ અનાજ ન ખાવાથી શરીરમાં ફાયબર, વિટામિન્સ, હેલ્ધી ફેટ અને ન્યૂટ્રિઅન્ટ્સની કમી આવે છે. જેના કારણે નુકસાન થાય છે સાથે જ તમે ખાધું હોય તો પણ ભૂખ લાગી હોય એવું ફીલ થાય છે.
લિક્વિડ પર રહેવું
વજન ઓછું કરવા માટે અને સ્વસ્થ રહેવા માટે લિક્વિડ લેવું જરૂરી હોય છે. પણ એક સપ્તાહથી વધારે લિક્વિડ ડાયટ પર રહેવાથી બહુ જ વધારે નબળાઈ, થાક અને ભૂખ લાગવાની પ્રોબ્લેમ થઈ જાય છે. જેથી લાંબા સમય સુધી લિક્વિડ ડાયટ ફોલો કરવું નહીં.