ખેડૂત નેતાઓ અને સંગઠનો વચ્ચે 9 - 9 રાઉન્ડની બેઠકો છતાં પણ સહમતી ન સધાતા અને કોરોનાનો ખતરો જોતા સુપ્રીમ કોર્ટે મોદી સરકારને ઠપકો આપ્યો હતો અને નવા કૃષિ કાયદાઓના અમલ પર સ્ટે આપીને રોક લગાવી હતી.
ખેડૂત આંદોલન અને ખેતી કાયદાઓ અંગે કરવામાં આવેલી તમામ અરજીઓની એકીસાથે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે એક કમિટીનું ગઠન કરવા જઈ રહ્યા છીએ, જે ગ્રાઉન્ડ રિયાલિટીનું પરીક્ષણ કરીને અમને રિપોર્ટ આપશે. આ મુદ્દે આવેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે આ કમિટીને બે મહિનામાં તેનો રિપોર્ટ આપવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી આદેશ અપાયો છે સાથે જ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવાયું છે કે આગલા આદેશ સુધી એમએસપી ની સુવિધા ચાલુ રહેશે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું છે કે કમિટીની રિપોર્ટમાં સરકાર , ખેડૂત સંગઠનો અને અન્ય હિતધારકોને સાંભળ્યા પછી કમિટી જે પણ ભલામણો કરશે તે હશે. આ કામ બે મહિનામાં પૂરું કરવામાં આવશે, અને આ કમિટીની બેઠક આજથી 10 દિવસની અંદર મળશે.
જો કે મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુકત કરવામાં આવેલી કમિટીમાં ભારતીય કિસાન યુનિયનના ભુપેન્દ્રસિંહ માન, ડો પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ ધનવંતની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આ મુદ્દે ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા જો કે નાખુશી જાહેર કરવામાં આવી હતી, આ મુદ્દે નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની સાથે સહમત નથી, અમે કોઈ કમિટી માંગી નહોતી, એવું બની જાય તો કે ખેડૂત અહીંથી તેના ઘરે પરત ફરે અને કાયદાઓ પર લગાવાયેલી આ રોક ખતમ કરી નાખવામાં આવે.
"सुप्रीम कोर्ट ने किसानों के प्रति जो सकारात्मक रुख दिखाया है। उसके लिये हम आभार व्यक्त करते हैं।
किसानों की मांग कानून को रद्द करने व न्यूनतम समर्थन मूल्य का कानून बनाने की है। जब तक यह मांग पूरी नही होती तब तक आंदोलन जारी रहेगा।"
કમિટીમાં સામેલ સભ્યો મુદ્દે કોંગ્રેસે પણ કર્યો વિરોધ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કમિટીમાં સામેલ ચારેય સભ્યો નવા કૃષિ કાયદાનું સમર્થન કરી ચૂક્યા છે, કમિટીના સભ્ય અશોક ગુલાટીની અધ્યક્ષતા વળી કમિટીએ જ નવા કૃષિ કાયદાઓને લાગૂ કરવાની સલાહ આપી હતી, જ્યા સુધી નવા કાયદાઓ રદ્દ નહિ થાય અને એમએસપી પર કાયદો નહિ બને આ આંદોલન સમાપ્ત નહિ થાય, મહત્વનું છે કે આ મુદ્દે કોંગ્રેસે પણ નારાજગી દર્શાવી હતી, નિવેદન બહાર પાડતા કોંગ્રેસે જણાવ્યું હતું કે આ ખૂબ જ ચોંકાવનારું છે, આ ચાર સભ્યો પહેલાથી જ મોદી સરકારની સાથે ઉભા છે, આ કઈ રીત ન્યાય કરશે, એક સભ્યે લેખ લખ્યો, એક એ મેમોરેન્ડમ આપ્યો, એક એ પત્ર લખ્યો અને એક પીટિશનર છે.
મહત્વનું છે કે આજે સાંસદ તિરુચિ રિવા તરફથી કાયદાઓને રદ્દ કરવાની માંગણીને લઈને કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા સુપ્રીમે કહ્યું હતું કે અમે કાયદાને સસ્પેન્ડ કરી શકીએ છીએ, પણ કોઈ લક્ષ્ય વિના આ કામ નહિ કરીએ.