કચ્છ: નખત્રાણાના નેત્રા ગામે હિંદુ દેવી-દેવતા પર થયેલી અભદ્ર કોમેન્ટને લઇને હિંસક મારામારી થઇ હતી. જે દરમિયાન દસ જેટલા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ અથડામણમાં બન્ને જૂથના યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. ચાર યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મારામારી બાદ પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી ગઇ હતી. નેત્રા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જેના વિરોધમાં નખત્રાણા સજ્જડ બંધ રહ્યું હતું. હિન્દુ સંગઠને નખત્રાણા બંધનું એલાન આપ્યું હતું. વિરોધમાં રેલી યોજાઇ હતી અને રેલી યોજી નખત્રાણા પ્રાંતને આવેદન પત્ર અપાયું હતું.