કેન્દ્રીય મંત્રીના મત મુજબ દારુ એ દૂષણ નહિ ભૂષણ છે ?
દેશના સામાજિક ને ન્યાય અધિકારીતા મંત્રી રામદાસ અઠાવલેએ ગુજરાતમાં બેસીને દારૂના દૂધન અંગે એવું નિવેદન આપ્યું જાણે,દારુ ભૂષણ હોય. કેન્દ્રીય મંત્રી એ ભૂલી ગયા કે તેઓ નિવેદન એવી જગ્યાએ આપી રહ્યા છે જ્યાં મહારાષ્ટ્ર અને ગુજરાત 1960 માં અલગ થયા ત્યારથી કડક દારૂબંધી છે. ગાંધીના ગુજરાતમાં દારુ અને ડ્રગ્સની હિમાયત કરી રહેલા,મોદી સરકારના જોડાણથી સામેલ થયેલા રીપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડીયાના સુપ્રીમો અઠાવલેએ ગાંધીના ગુજરાતમાં દારુ અને ડ્રગ્સની એવી તો હિમાયત કરી કે, દારુ પીનારને જેલમાં નથી જવું પડતું તો ડ્રગ્સ લેનારને શા માટે જેલમાં મોકલાઈ રહ્યા છે. ? કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ,ડ્રગ્સ લેનારની હિમાયત કરીં શકે તો ડ્રગ્સની હેરાફેરી કરનાર અંગે તેઓ શો અભિપ્રાય ધરાવતા હશે તેની તો કલ્પના જ કરવી રહી.
મંત્રી ભૂલી ગયા,તેઓ ગુજરાતમાં છે,જ્યાં દારુબંધી કડક છે
ગાંધીના ગુજરાતમાં દારુ પીવો ગેરકાયદે છે, ખરીદવો કે વેંચવો પણ ગેરકાયદે છે. ગુજરાત સરકારે ગત વર્ષે વિધાનસભમાં જે કાયદો પસાર કર્યો છે તે દારૂબંધીની કડક અમલવારી માટે છે. દારુ પિતા પકડાય તો સમાજ સેવાથી માંડીને દંડ અને સજાની પણ જોગવાઈ છે. આ સંદર્ભમાં તો મંત્રીના નિવેદનથી એવું ફલિત થાય કે, ગાંધીના ગુજરાતમાં દારુ પીવાય છે અને સજા નથી થતી. અથવા દારુ પીવો એ ગુજરાતમાં પણ સજા પાત્ર નથી. કેન્દ્રીય મંત્રી એ ભૂલી ગયા કે, તેઓ ગાંધીના ગુજરાતમાં નિવેદન આપી રહ્યા છે નહિ કે મુંબઈ કે દિલ્લીમાં.
ગિરનારની ગોદમાં ગુજરાતના કાયદાનું અજ્ઞાન ?
સત્તાની કાખઘોડી પર સવાર થઈને કેન્દ્ર સરકારમાં મંત્રી થયેલા રામદાસ અઠાવલેએ ગુજરાતમાં આવી, ગુજરાતનાં દારુબંધીના કાયદાને હાસ્યાસ્પદ ગણાવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગિરિવર ગિરનારની ગોદમાં જ્યાં ચોંસઠ જોગણીના બેસણા છે. દાતાર- દતાત્રેયની ભૂમિ છે.સંતો -મહંતોના વાસ છે.એથી વિશેષ ગુજરાત સરકારના શરાબ બંધીના કાયદાનો અભ્યાસ જ ના હોય તેવા અઠાવલેના નિવેદનથી તર્ક વિતર્ક સર્જાયા છે.
અઠાવલે દીવથી આવ્યા હતા જૂનાગઢ
કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ અઠાવલે આજે કેન્દ્ર સાશિત દીવના પ્રવાસે હતા.ત્યાર બાદ તેઓ જુનાગઢ પહોચ્યા હતા જુનાગઢમાં કેન્દ્રીય મંત્રીએ દારુ અને ડ્રગ્સ મુદ્દે નિવેદન આપ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દારુ પીવો ગુનો નથી અન્રે દારૂનું સેવન કરનારને જેલ થતી નથી.તો ડ્રગ્સ લેનારને જેલ કેવી રીતે ?રામદાસ અઠાવલે એ ત્યાં સુધીં કહ્યું કે, ડ્રગ્સ લેનારને જેલ નહિ ,નશા મુક્તિ કેન્દ્રમાં મોકલવો જોઈએ.NCB હાલના કાયદા મુજબ જેલમાં નાખે છે તે ઠીક નહી તેમ કહીં,ઉમેર્યું કે,અમારૂ મંત્રાલય હાલ કાયદા હેઠળ સુધાર અંગે પ્રયાસ કરી રહ્યુ છે
પાટીદાર અનામત અંગે શું બોલ્યા અઠાવલે ?
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું પાટીદાર સમાજ પર નિવેદન આપતા કહ્યું કે, પાટીદાર સમાજના લોકોને અનામત મળવી જોઇએ.અને સરકાર પણ ઈચ્છે છે કે પાટીદાર સમાજને અનામત મળે. OBCમાં નહી પણ ઇકોનોમિક બેકવર્ડ અનામતનો લાભ મળવો જોઇએ.