પૃથ્વી પરથી ધૂમકેતુ નિઓવાઇસ દેખાશે. તે 6800 વર્ષમાં એક વખત જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ માર્ચ મહિનામાં ધૂમકેતુની શોધ કરી હતી. જાણો આ ધૂમકેતુનો નજારો ભારતમાં ક્યારે અને કેટલા સમય માટે નિહાળવા મળશે.
6800 વર્ષમાં એક વખત જોવા મળે છે ધૂમકેતુ નિઓવાઇસ
વૈજ્ઞાનિકોએ માર્ચ મહિનામાં કરી હતી ધૂમકેતુની શોધ
ભારતમાં 14 જુલાઇથી દેખાશે ધૂમકેતુ નિઓવાઇસ
સૂર્યાસ્ત બાદ 20 દિવસ સુધી 20 મિનિટ દેખાશે ધૂમકેતુ નિઓવાઇસ
ધૂમકેતુ નિઓવાઇસ કે સી/2020 એફ3 પૃથ્વીથી સ્પષ્ટ દેખાવાનો શરુ થયો છે. વૈજ્ઞાનિકોએ તેની શોધ માર્ચમાં કરી હતી અને કહ્યુ હતું કે જુલાઈમાં આને પૃથ્વીથી નરી આંખે જોઈ શકાશે. તે તેની 6800 વર્ષની જર્નીમાં માત્ર એક જ વખત પૃથ્વી પર જોવા મળે છે.
બ્રિટન સહિત યુરોપમાં આ જોવા મળશે. લંડનના બ્લેકપુલ ટાવરની પાછળ જોરદાર નજરો કેદ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા નિઓવાઈસ ટેલીસ્કોપથી જોવા મળ્યો હતો. આ બાદ તેના આ નામ આપવામાં આવ્યું હતુ.
ભારતમાં 14 જુલાઈ એટલે કે કાલે આ નજારો જોવા મળશે
સૌથી ચમકદાર ધુમકેતુને ભારતમાં નરી આંખે જોઈ શકાસે. સૂર્યાસ્ત બાદ લગભગ 20 મિનિટ સુધી આ દુર્લભ ધૂમકેતુ 14 જુલાઈ એટલે કે કાલે 20 દિવસ માટે આ સતત રોજ જોઈ શકાશે.