લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર 23 જુલાઈની રાતે એક ખગોળી ઘટનાક્રમના અદ્ભૂત દ્રશ્યએ વૈજ્ઞાનિકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. એલએસીથી થોડા જ કિમીના અંતરે હનલે ખાતે ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીથી પુંછળીયો તારો એટલે કે ધૂમકેતુથી આકાશમાં જગમગાતું દ્રશ્ય જોવા મળ્યું હતુ.
અદ્ભૂત દ્રશ્યએ વૈજ્ઞાનિકોને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા
તે ઓબ્ઝર્વેટરીની ઉપરથી પસાર થયો હતો
ટીમના સભ્યોએ અનેક ડેટા ભેગા કર્યા છે
હેનલી ઓબ્ઝર્વેટરીના ઇન્ચાર્જ દોરજે અંગચુકે જણાવ્યું હતુ કે ધૂમકેતુને સતત ટ્રેક કરવામાં આવી રહ્યો છે. 23 જુલાઈના રોજ ધૂમકેતુ પૃથ્વીની સૌથી નજીકની પસાર થયો હતો. અમે પહેલા જ તૈયારી કરી દીધી હતી.
આ પહેલા ધૂમકેતુ છેલ્લી ઘડીએ તુટી પડ્યો હતો અને તે અદશ્ય થઈ ગયો હતો. છેલ્લા 23 વર્ષના અનુભવથી અમેને એ સમજાયું છે કે ધૂમકેતુ ક્યાં અને કેટલા વાગ્યે દેખાશે. રાત્રે 10.30 થી 11.30 ની વચ્ચે ધૂમકેતુને વિક્સન પોલારીની વચ્ચે જોઈ શકાય છે.
ધૂમકેતુ એટલો પ્રકાશીત હતો કે તેને કેમેરાથી કે નરી આંખોથી જોઈ શકાય તેમ હતો. તેની ફોટોગ્રાફી ત્યારે કરવામાં આવી જ્યારે તે ઓબ્ઝર્વેટરીની ઉપરથી પસાર થયો હતો. આ ટીમના સભ્યોએ અનેક ડેટા ભેગા કર્યા છે.