હાલ કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે ટીવી ચેનલ્સ વચ્ચે પોતાના દર્શકોનનં મનોરંજન કરવાની સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે. જોકે, આ સિલસિલો દૂરદર્શને શરૂ કર્યો. દૂરદર્શન પર હાલ રામાયણ, મહાભારત, શક્તિમાન સહિતના કેટલાય સુપરહિટ શો રિ-ટેલિકાસ્ટ કરવામાં આવ્યા છે. દૂરદર્શનની આ પહેલ હિટ થવા પર અન્ય ચેનલ્સ પણ હવે 90ના દાયકાની બે સુપરહિટ કોમેડી સીરિયલ ફરી રિલીઝ થવાની છે. આ સીરિયલ્સ દ્વારા જૂના દિવસોની યાદ તાજા થઈ જશે અને દર્શકોને મનોરંજન માટે વધુ ઓપ્શન પણ મળશે.
દૂરદર્શન પછી હવે સ્ટાર ભારતમાં આ 2 સૌથી લોકપ્રિય કોમેડી શો થશે પ્રસારિત
90ના દાયકાની આ સૌથી સુપરહિટ કોમેડી સીરિયલ હતી
દર્શકોની અપીલ પર લેવાયો નિર્ણય
હકીકતમાં છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પર એક સમયના સૌથી લોકપ્રિય કોમેડી શો સારાભાઈ વર્સિસ સારાભાઈ અને ખિચડીને ફરી રિલીઝ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે, આ બંને શો ટૂંક સમયમાં રિ-ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ બંને કોમેડી શોના રિ-ટેલિકાસ્ટ અંગે ઓફિશિયલ જાહેરાત પણ થઈ ગઈ છે અને તેના રિલીઝનો સમય અને ચેનલ પણ જણાવી દેવામાં આવ્યું છે.
કોમેડી શો સારાભાઈ વર્સિસ સારાભાઈ અને ખિચડી સ્ટાર ભારત પર સવારે 10 વાગ્યે ફરી શરૂ થશે. જેની જાણકારી ચેનલે ટ્વિટ દ્વારા દર્શકોને આપી છે અને લખ્યું છે-ઈન્દ્રાવાન તમને ફરી મળવા આવી રહ્યો છે. 6 એપ્રિલથી રોજ સવારે સ્ટા ભારત પર જુઓ સારાભાઈ વર્સિસ સારાભાઈ. તમને જણાવી દઈએ કે, આ સીરિયલમાં સતીશ શાહ, રત્ના પાઠક, રાજેશ કુમાર, સુમીત રાઘવાન અને રૂપાલી ગાંગુલી મુખ્ય રોલમમાં જોવા મળ્યા હતા. આ શો 2004માં સ્ટાર વન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
આ સિવાય ભારત ચેનલ પર ખિચડી સીરિયલ વિશે પણ જાણકારી આપી છે અને લખ્યું છે, 18 વર્ષ બાદ પ્રફુલ આ સૌને મળવા આવી રહ્યો છે. 6 એપ્રિલથી ખિચડી સવારે 11 વાગ્યે સ્ટાર ભારત પર પ્રસારિત થશે. આ શો 2002માં આવ્યો હતો અને તેના લીડ એક્ટર્સમાં સુપ્રિયા પાઠક, વંદના પાઠક, રાજીવ મહેતા અને જમનાદાસ મજેઠિયા હતા.