સુરતમાં નવસાદ કોટડીયાએ કોરોના દર્દીઓ માટે હાસ્યનો કાર્યક્રમ યોજ્યો હતો, સુરતના સુદામાચોક કોમ્યુનિટી સેન્ટરમાં આ હાસ્યનો પ્રયોગ થયો
હાસ્ય કલાકાર નવસાદ કોટડીયાનો અનોખો પ્રયાસ
કોરોના દર્દીઓ માટે હાસ્ય કાર્યક્રમ
દર્દઓમાં ડર ઓછો કરવાનો પ્રયાસ
કોરોનાએ સમગ્ર ગુજરાતને ભરડામાં લીધું છે. અને મેડિકલ-પેરા મેડિકલ સ્ટાફ દિવસ રાત દર્દીઓને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. તો સુરત જેવા શહેરમાં એક પછી એક એમ્બ્યુલન્સની લાઈનો લાગી રહી છે. ત્યારે સુરત શહેરમાં દર્દીઓને મેડિકલ સારવારની સાથે હાસ્યની ગોળી પણ આપવાની કોશિશ થઈ રહી છે. જે પ્રકારની પરિસ્થિતિ હાલ ગુજરાતમાં છે. તેને લઈ સૌ કોઈ ચિંતિત છે. દર્દીઓ પણ મુંજવણમાં દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે સુરતના હાસ્ય કલાકાર નવસાદ કોટડીયાનો અનોખો પ્રયાસ અભિનંદનપાત્ર છે.
કોણ છે નવસાદ કોટડીયા
નવસાદ કોટડીયા સુરતમાં વસતા અને એક હાસ્ય કલાકાર છે. અને કોરોનામાં દર્દીઓને તણાવમુક્ત બનાવવા નવસાદે નવો પ્રયોગ હાથ ધર્યો છે. નવસાદ કોટડીયાએ કોરોના દર્દીઓ માટે હાસ્યનો કાર્યક્રમ યોજ્યો હતો. સુરતના સુદામાચોક કોમ્યુનિટી સેન્ટરમાં આ હાસ્યનો પ્રયોગ થયો હતો.
કોમ્યુનિટી સેન્ટરમાં કોરોનાના હળવા લક્ષણોવાળા 46 દર્દીઓ દાખલ છે. હાસ્યના કારણે દર્દીઓમાં રહેલો ડર ઓછો થતો જોવા મળ્યો હતો. હાસ્યકાર નવસાદ કોટડિયાએ કહ્યું, કોરોનાના હળવા લક્ષ્ણવાળા દર્દી તણાવમાં હોય છે. હાસ્યના કારણે દર્દીઓ તણાવ મુક્ત રહી શકે છે. ખડખડાટ હસવાથી ઘણા ખરા રોગ પણ સારા થાય છે.
સુરત મનપાનો મહત્વનો નિર્ણય
કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાએ અગત્યનો નિર્ણય કર્યો છે. મનપા કર્મચારીઓને 6 રેમડેસિવિર ઈન્જેક્શન ફ્રીમાં અપાશે તેવી જાહેરાત કરાય છે. મનપાના જરૂરિયાતમંદ કર્મચારીઓને મનપા ઈન્જેક્શન ફ્રીમાં આપશે. જેમાં મનપાના કર્મચારી, પૂર્વ કર્મચારી, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરોનો સમાવેશ થાય છે. મનપા ક્વોટામાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઈન્જેક્શન અપાશે.
જો કે, સુરત મનપાના નિર્ણયને લઇ AAPનો વિરોધ ઉઠાવ્યો હતો. નિર્ણય સારો પરંતુ અધિકારી અને કોર્પોરેટર માટે જ કેમ તેવા સવાલ કર્યા હતા. નિર્ણયનો લાભ સુરતની જનતાને કેમ નહીં. સુરત મનપાનું બજેટ 6500 કરોડ છે. બજેટથી મહામારીમાં લોકોની સારવાર થવી જોઇએ. તમામ કોવિડ દર્દીની ફ્રી સારવાર થવી જોઇએ તેવી રજૂઆત કરી હતી.