કોમેડિયન અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના પ્રમુખ રાજુ શ્રીવાસ્તવને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. હાસ્ય કલાકારના કહેવા મુજબ, તેને અને તેના સાથીઓ અજિત સક્સેના અને ગરવીત નારંગને ધમકીભર્યા કોલ આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને આ ધમકી વોટ્સએપ પરના કોલ દ્વારા મળી છે. રાજુ શ્રીવાસ્તવે આ સમગ્ર મામલે કાનપુર પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે પણ આ અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ દિગ્ગજ કોમેડિયનને મળી જાનથી મારી નાંખવાની ધમકી
સતત આવી રહ્યાં છે અજાણ્યા લોકોના કોલ
રાજુ શ્રીવાસ્તવે આ સમગ્ર મામલે કાનપુર પોલીસમાં ફરિયાદ કરી છે
રાજુ શ્રીવાસ્તવને સાત વર્ષ પહેલાં પણ આવો જ ધમકીભર્યો ફોન આવ્યો હતો. તે સમયે તેણે ફોન કરનાર સામે મહારાષ્ટ્રમાં એફઆઈઆર નોંધાવી હતી. હવે આ બાબતને ગંભીરતાથી લેતા હાસ્ય કલાકારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે નંબરથી તેને કોલ કરવાાં આવ્યો છે તે પાકિસ્તાનના કરાચી શહેરનો છે.
આ ધમકીભર્યા કોલ વિશે માહિતી આપતાં રાજુ શ્રીવાસ્તવે કહ્યું કે તેને ફોન પર કહેવામાં આવી રહ્યું છે કે તેના બાળકોની હત્યા કરવામાં આવશે અને તેની હાલત લખનઉના કમલેશ તિવારી જેવી જ થશે.
તમને જણાવી દઈએ કે, રાજુ શ્રીવાસ્તવે બોલિવૂડની ફિલ્મોમાં નાના રોલ કરીને પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં અમિતાભ બચ્ચનના લુક-એલાઈક તરીકે ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે ટેલેન્ટ શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' સાથે સ્ટેન્ડ-અપ કોમેડીમાં કામ કર્યું હતું. તેણે બિગ બોસ સીઝન 3માં પણ ભાગ લીધો હતો.