પોતાની શાનદાર એક્ટિંગથી દર્શકોને હસાવનારા પ્રખ્યાત સ્ટેન્ડ અપ કોમેડિયન અને એક્ટર રાજીવ નિગમ પર એક પછી એક દુ:ખના ડુંગર તૂટી પડ્યા છે. હાલમાં જ રાજીવનાં પિતાનું નિધન થયુ હતું અને હવે તેના નાના દીકરા દેવરાજનું પણ નિધન થઈ ગયું છે. આ વાતની જાણકારી ખુદ રાજીવ નિગમે આપી છે. રાજીવના દીકરાએ રાજીવના જ જન્મદિવસે અંતિમ શ્વાસ લીધો હતો. રાજીવે જણાવ્યું કે, તેના કેક કાપતા પહેલાં જ દીકરાએ આ દુનિયાને અલવિદા કહી દીધી.
સ્ટેન્ડ અપ કોમેડિયન રાજીવ નિગમ પર એક પછી એક દુ:ખના ડુંગર તૂટી પડ્યા છે
રાજીવના દીકરાએ રાજીવના જ જન્મદિવસે અંતિમ શ્વાસ લીધો
કેક કાપતા પહેલાં જ દીકરાએ આ દુનિયાને અલવિદા કહી દીધી
રાજીવ નિગમના દીકરાના અચાનક થયેલા મોત પર તેનાં ઘરમાં માતમ છવાઈ ગયુ છે. રાજીવ નિગમે ટ્વિટ કરીને દીકરાના નિધનની માહિતી આપી છે. તેણે એક પોસ્ટમાં દિકરાના આમ દુનિયા છોડીને જતા રહેવા પર દુખ વ્યક્ત કર્યું છે અને લખ્યું છે કે, 'મને આ કેવી સરપ્રાઇઝ મળી, મારા જન્મદિવસ પર. મારો દિકરો દેવરાજ મને છોડીને જતો રહ્યો. બર્થ ડે કેક કાપ્યા વગર, આવી ગિફ્ટ કોઈ આપે છે શું.
રાજીવનો દિકરા દેવરાજે રાજીવના લોખંડવાલા અંધેરી વેસ્ટ (મુંબઈ) સ્થિત તેના ઘરે જ અંતિમ શ્વાસ લીધા. 'હર શાખ પર ઉલ્લૂ બેઠા હૈ'ના એક્ટરે દિકરા સાથેની એક તસવીર શેર કરી છે. રાજીવના દિકરાની તબિયત છેલ્લા બે વર્ષથી ખરાબ હતી. જેના કારણે તેવેન્ટિલેટર પર જ હતો. તમને જણાવી દઇએ કે વર્ષ 2018માં જ રાજીવે આ વાતની માહિતી આપી હતી. જોકે, તેણે આ વાત જાહેર નહોતી કરી કે તેના દિકરાને શું થયું છે.
જોકે, અત્યાર સુધી રાજીવના દિકરાના નિધન પર કોઈએ રિએક્શન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે, રાજીવ લાંબા સમયથી કોમેડીની દુનિયાનો જાણીતો ચહેરો છે. તેણે ઘણાં શો કર્યા છે અને યુટ્યુબ પર પણ લોકો તેના વીડિયો જોવાનું પસંદ કરે છે.