ટીવી શો પર કે સ્ટેજ પર લોકોનો ગળગળાટ હસાવતો વ્યક્તિ એક દિવસ અચાનક તમારો રાષ્ટ્રપતિ બની જાય તો માન્યામાં નથી આવતું ને. પરંતુ આ હકીકત છે. આવું યૂક્રેનમાં બન્યું છે. જ્યાં એક મશહૂર હાસ્ય કલાકાર આજે દેશનાં રાષ્ટ્રપતિ બની ગયાં છે. ત્યારે કોણ છે આ કલાકાર કે જેને યૂક્રેને સોંપી છે કમાન.
પહેલી નજરે જ તેનાં ચહેરાની ચમકને જોતાં એ સ્પષ્ટ થઈ જશે કે, આ એક હાસ્ય કલાકાર છે. તે કરોડોનાં દીલમાં વસે છે. કરોડો તેનાં ચાહક છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ હાસ્યનો પ્રેમી જે રોજ કરોડોને હસાવે છે. તે અચાનક એક દિવસ દેશનો રાષ્ટ્રપતિ બની જશે. ક્યારેય નહીં વિચાર્યું હોય. પરંતુ આ હકીકત છે. આ છે યૂક્રેનનાં નવા રાષ્ટ્રપતિ વોલોડાઇમીર જેલેન્સકી.
જે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેદાનમાં તો ઉતર્યા પરંતુ સૌથી વધુ 73 ટકા મત સાથે જીત પણ હાંસલ કરી છે અને આજે યૂક્રેનનાં રાષ્ટ્રપતિનાં શપથ પણ ગ્રહણ કરી લીધાં છે. હાસ્ય અભિનેતા વોલોડાઇમીર જેલેન્સકી પાસે ન તો કોઈ રાજકીય અનુભવ છે કે ન તો પહેલાં કોઈ સરકારી પદ પર રહી ચૂક્યાં છે. છતાં આજે દેશની જનતાએ તેનાં હાથમાં દેશની કમાન સોંપી છે.
જેલેન્સકી આટલાં મશહૂર કેવી રીતે થયાં. તો આપને જણાવી દઈએ કે, જેલેન્સકી પહેલાં ટીવી શો 'સર્વેટ ઓફ ધ પીપુલ'માં એક એવાં શિક્ષકનું પાત્ર ભજવી રહ્યાં હતાં. જેમાં તેનું ભ્રષ્ટાચાર વિરોધી ભાષણ વાયરલ થઈ જાય છે અને પછી તે દેશનાં રાષ્ટ્રપતિ બની જાય છે. પરંતુ આ ટીવી શોનાં રાષ્ટ્રપતિ આજે હકીકતમાં યૂક્રેનનાં રાષ્ટ્રપતિ બની ગયાં છે. પોતાની જીત બાદ પત્રકારો સાથે વાત કરતાં જેલેન્સકી એવું પણ જણાવ્યું કે, તે યૂરોપનાં સૌથી ગરીબ દેશોમાંનાં એક યૂક્રેનને નવી દિશા આપવા જઈ રહ્યો છું.
પરંતુ સવાલ એ પણ થતો હશે કે, વોલોડાઈમિર જેલેન્સકી છે કોણ. તો આપને જણાવી દઈએ કે, સ્થાનિક મીડિયા જેલેન્સકીને યૂક્રેનનાં ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે. જેમનો જન્મ એક યહૂદી વૈજ્ઞાનિક પરિવારમાં થયો હતો. પોતાનાં ચૂંટણી પ્રચારમાં જેલેન્સકીએ સૌથી વધુ દેશમાં ફેલાયેલાં ભ્રષ્ટાચાર અને રશિયાની સરહદે જેનો આતંક છે તેવાં અલગાવવાદીઓનાં મુદ્દાને ઉઠાવ્યો.
ટીવી શોમાં પણ હંમેશ જેલેન્સકીને ભ્રષ્ટ્રાચાર સામે મક્કમતાથી લડનાર રાષ્ટ્રપતિ બતાવવામાં આવ્યાં હતાં અને કદાચ આ જ કારણ છે કે, જેલેન્સકીને આજે લોકોએ પોતાનાં રાષ્ટ્રની કમાન સોંપી છે. તો પૂર્વ રાષ્ટ્રપતિ પોત્રો પોરોશેંકોએ પણ પોતાની હાર સ્વિકારતા જેલેન્કસીને અભિનંદન પાઠવ્યાં. એક ટીવી શોનાં રાષ્ટ્રપતિ આજે દેશનાં રાષ્ટ્રપતિ તો બની ગયાં છે. પરંતુ તેનાં વાયદા અને વચનો ટીવી શોની જેમ કેટલાં વિકાસલક્ષી સાબિત થાય છે તે તો આવનાર સમય જ બતાવશે.