સુષમા સ્વરાજે નિધનના એક કલાક પહેલા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કૂલભુષણ જાધવ મામલે ભારતીય વકીલ હરીશ સાલ્વેને તેમની 1 રૂપિયાની ફી માટે બોલાવ્યા હતા. વકીલ હરિશ સાલ્વેએ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવ મામલે સુનાવણી દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ 1 રૂપિયાની ફી પર કર્યું હતું.
હરીશ સાલ્વેએ એક ખાનગી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે નિધનના એક કલાક અગાઉ સુષમા સ્વરાજે મારી સાથે વાતચીત કરી હતી. મે તેમની સાથે રાતે 8.50 વાગે વાત કરી હતી. આ એક ઘણી ભાવનાત્મક વાતચીત હતી.
સુષમા સ્વરાજે મને કહ્યું કે તમે મને મળો. જે કેસ તમે જીત્યા છો તેના માટે તમને એક રૂપિયો આપવાનો છે. મે તેમને જણાવ્યું હતું કે હું આ કિંમતી ફી લેવા જરૂરથી આવીશ. તેમણે મને કહ્યું કે કાલે 6 વાગે આવજો.
આમ પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું નિધનને લઇ દેશભરમાં શોકનો માહોલ છે. ત્યારે નિધનના એક કલાક પહેલા તેઓએ પાકિસ્તાનની જેલમા બંધ કુલભૂષણ જાધવ મામલાના વકીલ હરીશ સાલ્વેને તેઓએ તેમની એક રૂપિયાની ફી માટે બોલાવ્યા હતા.
હરીશ સાલ્વેએ આ વાતને યાદ કરતા કહ્યું કે, મેં રાતના પોણા નવ વાગ્યે તેમી સાથે વાતચીત કરી હતી. આ એક ખુબ ભાવનાત્મક વાતચીત હતી. તેઓએ કહ્યું કે, મને મળવા આવો તમે જે કેસ જીત્યા છો તેના માટે મારે તમને એક રૂપિયો આપવાનો છે. ત્યારે મેં કહ્યું કે, જરૂર હું તે કીમતી ફી લેવા આવું છું. તેઓએ કહ્યું કે, કાલે 6 વાગે આવજો.
પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું મંગળવારે મોડી રાતે નિધન થયું. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ પ્રધાન પદે રહેલા સુષ્મા સ્વરાજને હાર્ટ અટેક આવતા તેમને દિલ્હી સ્થિત એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.