જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકીઓની વચ્ચે સતત એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સેનાના કર્નલ, મેજર સહિત 5 લોકો શહીદ થયા છે. આતંકીઓની વિરુદ્ધમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે.
જમ્મૂ કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર
આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે 3 દિવસથી ચાલી રહ્યું છે ઓપરેશન
સેનાના કર્નલ, મેજર સહિત 5 લોકો એન્કાઉન્ટરમાં શહીદ થયા
कल जम्मू-कश्मीर के हंदवाड़ा इलाके में हुए एक एनकाउंटर में 21 राष्ट्रीय राइफल्स यूनिट के कमांडिंग ऑफिसर कर्नल आशुतोष शर्मा आतंकियों के साथ मुठभेड़ में शहीद हो गए। वो पहले भी कई सफल आतंकवाद विरोधी ऑपरेशन्स का हिस्सा रह चुके थे। pic.twitter.com/oHamtJ4urA
જમ્મૂ કાશ્મીરના હંડવાડામાં રાજવાર વિસ્તારમાં આજે જ્યાં અથડામણ થઇ ત્યાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત નાગરિકો ઘાયલ થયા છે. તેમને સ્થાનીય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
જમ્મૂ-કશ્મીરના હંદવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણમાં સેનાના બે મોટા ઓફિસર સહિત 5 જવાન શહીદ થયા છે. જ્યારે સેનાએ બંને આતંકીઓને ઠાર માર્યા છે. શહીદોમાં એક કર્નલ, એક મેજર અને બે સેનાના જવાન શહીદ થયા છે. જ્યારે જમ્મૂ-કશ્મીર પોલીસના સબ ઇન્સ્પેક્ટર પણ શહીદ થયા છે. મળતી માહિતી મુજબ આ ઓપરેશનમાં 21 રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર સર્નલ આશુતોષ શર્મા શહીદ થયા છે. આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ બંને વિદેશી આતંકીને ઠાર માર્યા છે. હાલ સેનાનું સર્ચ ઓપરેશન ચાલું છે.
जम्मू-कश्मीर के हंदवारा में एक मुठभेड़ में भारतीय सेना के चार जवानों की जान चली गई, इसमें कमांडिंग ऑफिसर, 21 राष्ट्रीय राइफल्स यूनिट के मेजर समेत 2 जवान और जम्मू-कश्मीर पुलिस का एक जवान शामिल है। मुठभेड़ में 2 आतंकवादी भी मारे गए: भारतीय सेना के अधिकारी pic.twitter.com/CmVFqsh1Kk
સુરક્ષાદળોને બાતમી મળી હતી કે કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકવાદીઓના એક પરિવારને બંધક બનાવ્યો હોવાના અહેવાલ મળ્યા છે, ત્યારબાદ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. બંધકોને મુક્ત કરાવવા માટે સેના અને પોલીસની ટીમ ઘરની અંદર ગઈ હતી. ટીમે બંધકોને મુક્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જો કે, આ દરમિયાન આતંકવાદીઓ તરફથી ટીમમાં ભારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને કાઢી નાખવામાં આવ્યા છે. તે જ સમયે, સેનાના બે અધિકારીઓ, બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના સબ ઈન્સ્પેક્ટર શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર ભારતીય સેનાના ચાર શહીદોમાં એક 21 રાષ્ટ્રીય રાઇફલ્સનો કમાન્ડિંગ ઓફિસર અને એક મેજર છે.