કોલંબિયાના રાષ્ટ્રપતિ ઈવાન ડૂકના હેલિકોપ્ટર પર ગોળીબાર કરવામાં આવ્યો. તમામ લોકો સલામત છે.
કોલંબિયાના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર ગોળીબાર
વેનેજુએલાન બોર્ડર સાથે જોડાયેલા દક્ષિણી કૈટાટુમ્બોમાં થયો હુમલો
હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત
કોલંબિયાના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર ગોળીબાર
કોલંબિયાના રાષ્ટ્રપતિ ઈવાન ડૂકેએ શુક્રવારે જણાવ્યું કે વેનેજુએલાન બોર્ડર સાથે જોડાયેલા દક્ષિણી કૈટાટુમ્બોમાં તેમને તથા તેમના અધિકારીઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર પર ગોળીબાર કરવામાં આવ્યો. આ કોઈ રાષ્ટ્રપતિના વિમાન પર સીધો હુમલો કરવાન દુર્લભ ઘટના છે.
હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત
ડુકે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. હેલિકોપ્ટરમાં ડૂકે ઉપરાંત દેશના રક્ષામંત્રી ડિએગો મોલાનો, ગૃહ મંત્રી ડેનિયલ પલાસિયોસ અને નોર્ટ ડી સેન્ટેન્ડર રાજ્ય ગવર્નર સિલ્વાનો સેરાનો સવાર હતા. તેમણે ‘વૈઘતાની સાથે શાંતિ -સતત કૈટાટુમ્બો અધ્યયન’ નામના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હેલિકોપ્ટરમાં લાગેલા સાધનો તથા તેની ક્ષમતાને કારણે મોટી દુર્ઘટના ટળી
રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં કહ્યું કે હું દેશને જણાવવા માંગુ છું કે કૈટાટુમ્બોના સાર્ડિનટામાં એક પ્રતિબદ્ધતા પુરી કર્યા બાદ કુકુટા શહેરની પાસે રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પર હુમલો કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે હેલિકોપ્ટરમાં લાગેલા સાધનો તથા તેની ક્ષમતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા જારી એક વીડિયોમાં કોલંબિયાઈ વાયુસેનાના હેલિકોપ્ટરમાં ગોળી વાગવાના કારણે અનેક કાણાં નજરે પડી રહ્યા છે.
કોલંબિયા ગુનાની વિરુદ્ધ હંમેશા મજબૂતી સાથે ઉભુ છે- રાષ્ટ્રપતિ
ડૂકે એ ન જણાવ્યું કે હુમલો કયા સમયે કરવામાં આવ્યું હતુ. હુમલો કોણે કર્યો, પરંતુ એવું મનાય છે કે આ વિસ્તારમાં અનેક સશસ્ત્ર ગ્રુપ સક્રિય છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ કાયરતા ભર્યા હુમલા તેમને નશીલા પદાર્થોની તસ્કરી, આતંકવાદ અને સંગઠિત ગુનાઓની વિરુદ્ધ લડાઈ લડતા રોકી નહીં શકે, તેમણે કહ્યું કે સંદેશ એ છે કે કોલંબિયા ગુનાની વિરુદ્ધ હંમેશા મજબૂતી સાથે ઉભુ છે અને અમારા સંસ્થાન કોઈ પણ સંકટથી ઉપર છે.