જયપુરના કલેક્ટર પ્રકાશ રાજપુરોહિતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, દિવ્યાગની ફરિયાદ સાંભળ્યા બાદ કલેકટરે કાર્યવાહીની ખાતરી આપી છે
જયપુરના કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત સરાનીય કામગીરી
કલેક્ટરની માનવીય સહાનુભૂતિ અને દિવ્યાંગો પ્રત્યે આદર
ફરિયાદ સાંભળ્યા બાદ કલેકટરે કાર્યવાહીની ખાતરી આપી
જયપુરના કલેક્ટર પ્રકાશ રાજપુરોહિતનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કલેક્ટરની માનવીય સહાનુભૂતિ અને દિવ્યાંગો પ્રત્યે આદર. એક દિવ્યાંગ કલેક્ટરને મળવા એક અરજી લઈને આવ્યો હતો. પગ ન હોવા છતાં દિવ્યાંગ હાથ જોડીને ચાલીને કલેક્ટર સુધી પહોંચ્યા હતા. માનવીય સહાનુભૂતિ દર્શાવતા કલેક્ટર તેમની સામેના ટેબલ પર બેસી ગયા હતા અને દિવ્યાગની વિગતવાર અરજી સાંભળી હતી.
દિવ્યાગની ફરિયાદ સાંભળ્યા બાદ કલેકટરે કાર્યવાહીની ખાતરી આપી હતી. વીડિયોમાં કલેક્ટર દિવ્યાંગો પ્રત્યે આદરપૂર્ણ વલણ અપનાવતા હોય તેવુ પણ જણાઈ રહ્યું છે. વીડિયો 16 માર્ચે જિલ્લા કચેરીનો છે.
Administration is more a matter of Heart than Head. Prakash Purohit IAS , Collector Jaipur listening to a complainant making him sit on table because of his condition. Kudos to such young and empathetic officers and may their numbers increase. pic.twitter.com/ksBNJsnbw9
દિવ્યાંગ ઓમપ્રકાશ કુમાવત
કિશનગઢ રેનવાલનો રહેવાસી દિવ્યાંગ ઓમપ્રકાશ કુમાવત ફરિયાદ લઈને કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત પાસે પહોંચ્યા હતા. દિવ્યાગને જોઈને કલેક્ટર ખુરશી પરથી ઊભા થઈ ગયા હતા. તેણે દિવ્યાંગને પોતાની સામેના ટેબલ પર બેસાડ્યા અને પાણી આપ્યા બાદ શાંતિથી ફરિયાદ સાંભળી હતી. ઓમપ્રકાશએ કલેક્ટરને વરસાદ દરમિયાન પડતી સમસ્યાઓની જાણકારી આપી હતી. તેમજ તેના ઘરની સામે રોડ ઉચો બની ગયો હોવાથી તેના ઘરમાં પણી ભરાઈ જાય છે જેના નિરાકરણની ફરિયાદ કરી હતી.
રસ્તો 2-3 ફૂટ ખોદીને બનાવવાની માગ
તેણે માગ કરી છે કે, રસ્તો 2-3 ફૂટ ખોદીને બનાવવામાં આવે. ફરિયાદ સાંભળ્યા બાદ કલેક્ટરે ટૂંક સમયમાં મુશ્કેલી નિવારવાની બાહેધરી આપી હતી. આ પહેલા ઓમપ્રકાશ પચકોડિયામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ ફરિયાદ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રીએ ફરિયાદ સાંભળ્યા બાદ અધિકારીઓને આદેશ પણ આપ્યા હતા. પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. કોઈ કાર્યવાહી ન થતા દિવ્યાંગોએ કલેકટરને અરજી કરી છે.