હજુ પણ ભારત અને ગુજરાતમાં અમુક કામ માટે લાપરવાહી દાખવવામાં આવે છે. ભેખડો ધસવી, ગટરોમાં ગરકાવ થઈ જવું. સમાજના નીચલો વર્ગ કે જે મજૂર વર્ગ છે તેને માટે સરકારના બજેટમાં કે સરકારી કામમાં કોઈ જગ્યા નથી. હાઈટેક મશીનરી વાપરીને સરકાર મજૂરોના જીવ બચાવી શકે પરંતુ તેમાં તંત્રને રસ જ નથી. ગાંધીનગરમાં ભેખડ ધસી પડવાને કારણે 4 મજૂરો દટાયા હતા જેમાંથી 1ને બચાવી લેવામાં આવ્યો છે.
કોબા પાસે ભેખડ ધસી પડતાં 4 લોકો દટાયા
ખાનગી બાંધકામ ચાલતું હતું તે સમયે બની ઘટના
દટાયેલા 4 લોકોમાંથી 3બહાર કાઢી સારવાર માટે ખસેડાયાં
ગાંધીનગરના કોબા પાસે ભેખડ ધસી પડતા 4 લોકો દટાયા હતા. અહીં ખાનગી બાંધકામ ચાલતું હતુ તે સમયે આ ગોઝારી ઘટના ઘટી હતી. આ ઘટનામાં કોની લાપરવાહી છે? તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખાનગી બાંધકામ વખતે કેમ બને છે આવી ઘટનાઓ અને આવી દૂર્ઘટના માટે કોણ જવાબદાર? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કોબા પાસે ભેખડ ધસી પડતા દટાયેલા 4 લોકોમાંથી 3ને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા છે પરંતુ એક મજૂર હજુ સુધી રેસક્યુ કરી શકાયો નથી.
ફાયરની ટીમ ઘટનાસ્થળે
ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મદદ શરૂ કરી દીધી હતી. જેમાં 3 લોકોને તો બહાર કાઢી લેવાયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ભેગા પણ કરી દેવામાં આવ્યા હતા પરંતુ હજુ સુધી એક મજૂર ભૂગર્ભમાં જ દટાયેલો છે.
ખાનગી બિલ્ડર્સ કેમ કોઈ તજવીજ નથી લેતા?
આ ઘટનાને પગલે લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે ખાનગી બિલ્ડર્સ કેમ કોઈ તજવીજ નથી લેતા? અને તંત્ર પણ કેમ કોઈ પગલા નથી લેતું? આ માટે કેમ કોઈ ધારાધોરણ ફોલો નથી કરવામાં આવતા?