છેલ્લાં થોડા દિવસોથી ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. શીતલહેરના કારણે તાપમાનમાં ખૂબ ઘટાડો આવ્યો છે. આ સિઝનમાં શરદી-ઉધરસ અને તાવ જેવી બિમારીઓ સામાન્ય છે, જે તમને થોડી બેદરકારી દાખવવાથી પણ થઇ શકે છે.
ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ
ઠંડીમાં બિમાર ના થવુ હોય તો આ બાબતોનુ રાખો ધ્યાન
આ ભૂલ તો બિલ્કુલ ના કરતા
અમુક ચીજ વસ્તુઓનુ ધ્યાન રાખવુ પડશે
એવામાં અહીં અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યાં છે, જેનુ તમારે ખાસ કરીને આ સિઝનમાં ધ્યાન રાખવાનુ છે. જો તમે ઈચ્છો છો કે ઠંડીમાં તમે બિમાર ના પડો તો તેના માટે તમારે અમુક ભૂલ કરવાથી બચવુ પડશે અને અમુક ચીજ વસ્તુઓનુ ધ્યાન રાખવુ પડશે.
શિયાળામાં પોતાને હાઈડ્રેટેડ રાખો
શિયાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા ખૂબ સામાન્ય છે, કારણકે આ દરમ્યાન લોકો ઓછુ પાણી પીવે છે. કારણકે ઠંડીમાં વધુ તરસ પણ લાગતી નથી. પરંતુ કોઈ પણ સિઝનમાં શરીરમાં પાણીની કમી હાનિકારક છે. પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે વધુ પાણી પીવો. આ સિવાય પુષ્કળ ફળનુ સેવન પણ કરો. ખિચડી અને દલિયા જેવી વસ્તુઓમાં પણ પાણી હોય છે. તેથી આ પણ તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે.
આ ફૂડ્સને બનાવો ડાયટનો ભાગ
હાડ થીજવી દે તેવી ઠંડીમાં તમારે તમારા આરોગ્યનો ખાસ ખ્યાલ રાખવાની જરૂર હોય છે. આ સિઝનમાં શરીરને ગરમી પહોંચાડનારા ખાદ્ય પદાર્થોનુ સેવન કરો. ઠંડીમાં તલ, ગોળ અને ડ્રાયફ્રૂટ જેવી ગરમ વસ્તુઓ પોતાના ડેલી ડાયટમાં સામેલ કરો. આ સિવાય પોતાની દરરોજની ચામાં હળદર, આદુ, દાલચીની અને કાળા મરચાને મિક્સ કરો. જેનાથી તમારી ચાનો ટેસ્ટ તો વધશે અને તેનાથી તમારા શરીરને ઘણા ફાયદા પણ થશે.
બંધ રૂમમાં તાપણુ ના કરો
ઠંડીની સિઝનમાં લોકો તાપણુ કરતા હોય છે, પરંતુ પ્રયાસ કરો કે ઘરની અંદર તાપણુ ના કરો. કેટલાંક લોકો રૂમ ગરમ કરવા માટે દરવાજા અને બારીઓ બંધ કરીને તાપણુ કરતા હોય છે, જે વધુ ખતરનાક હોઇ શકે છે. કારણકે તેમાંથી નિકળતી કાર્બન મોનોકસાઈડ ગેસ તમારો શ્વાસ પણ રોકે છે. તેથી જ્યારે તમે તાપણુ અથવા બોનફાયરનો ઉપયોગ કરો તો રૂમ પૂરેપૂરો બંધ ના કરો. તેમાંથી નિકળતી ગેસને બહાર નિકળવા દો. જેનાથી તમને શરદી પણ નહીં થાય અને તેમાંથી નિકળનારી ગેસ તમને નુકસાન પણ નહીં પહોંચાડે.