રાજ્યમાં દિવસે દિવસે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં તાપમાન ગગડે તેવી શક્યતા છે. 8 ડિગ્રી સુધીમાં ઠંડીનો પારો પહોંચે તેવી શક્યતા છે. ઉત્તરભારતમાં થતી હિમવર્ષાને પગલે રાજ્યભરમાં ઠંડી વધે તેવી શક્યતા છે. ઠંડીના મહોલ વચ્ચે લોકો કસરત કરતા જોવા મળે છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો
ઠંડી ભગાડવા લોકો તાપણાના સહારે
હવામાન વિભાગને કરી છે આગાહી
આ તરફ અમરેલી જિલ્લામાં ઠંડીનો ચમકારો દિનપ્રતિદિન વધી રહ્યો છે ખાસ કરી અમરેલી જિલ્લા ગીર પંથકમાં રાત્રી દરમિયાન ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે. અહીં ધારી તથા જંગલ આસપાસના ગામોમાં ઠંડી રાત્રિ દરમિયાન ૧૦ ડિગ્રી જેટલી નોંધાઈ રહી છે. તેવી જ રીતે રાજુલા પંથકના કોસ્ટલ બેલ્ટ કથીવદર ચાંચ ખેરા પટવા સહિતના દરિયાકાંઠાના ગામોમાં ઠંડીનો ચમકારો રાત્રી દરમિયાન વિશેષ વર્તાઈ રહ્યો છે જેથી લોકો હાલ તાપણા નો સહારો લઈ રહ્યા છે.
ઠંડીનો ચમકારો વધતા લોકો પરેશાન
નોંધનીય છે કે, ગીર પંથક તેમજ રાજુલા કોસ્ટલ બેલ્ટ આસપાસ ઠંડી રાત્રિ દરમિયાન વધતાં ખેડૂતો ગ્રામ્યજનો પરેશાન છે. માથે રવિ પાકની સીઝન હોવાથી લોકોને ખેતરોમાં જોવું મહત્વનું છે પરંતુ ઠંડીના કારણે લોકોએ તાપણા અને ખાટલા અને ઓટલા પરિષદ યોજી ઠંડીની મોસમની મજા લઇ રહ્યા છે.
રીંગણનો ઓળોનું લોકો માણી રહ્યા છે ભોજન
આ સાથે જ ભાવતા ભોજનો દેશી ખાણું અમરેલી જિલ્લાના સ્પેશલ કાજુ ગાંઠિયા રીંગણનો ઓળો જણા સહિતના દેશી ભોજનો આરોગી લોકો સાથે મળી ઠંડીમાં પણ આનંદ ઉઠાવી રહ્યા છે ખાસ કરી જિલ્લામાં રાત્રિ દરમિયાન જાફરાબાદ રાજુલા દરિયાઇ પટ્ટી અને ધારી જંગલ કાંઠાના ગામો આસપાસ 10 થી 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું રહ્યું છે.
ઠંડી ભગાડવા લોકો તાપણાના સહારે
ગઈકાલે પૂરા જિલ્લામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે દરિયા કાંઠાના ગામો જંગલ કાંઠાના ગામો માં તાપમાન બે ડિગ્રી નીચે નોંધાતા લોકો પણ ખાટલા પરિષદ યોજી તાપણા કરી ભાવતા ભોજનીયા લઈ ઠંડીનો સામનો કરી રહયા છે અને ઠંડીને ભગાડી આનંદ મેળવી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં તાપમાનના પારામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે આ મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં લોકોને વધુ ઠંડીનો સમાનો કરવો પડશે. શનિવારથી રાજ્યભરમાં 4થી 5 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં ઉત્તર-પૂર્વ તરફ પવન ફૂંકાશે. ડિસેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા ઉંચું તાપમાન નોંધાશે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે, શનિવારથી લોકોને વધુ ઠંડીનો અહેસાસ થશે.