આગાહી / ઉત્તરપ્રદેશમાં ઠંડીનો કહેર યથાવતઃ આજે વરસાદ અને કરા પડવાની સંભાવના, 1 દિવસમાં 41 લોકોના મૃત્યુ

Cold Wave Continues In Uttar Pradesh 41 More Lives Lost

ઠંડીના પ્રકોપથી મૃત્યુ પામનારાની સંખ્યા દિન પ્રતિદિન સતત વધી રહી છે. નવા વર્ષના બીજા દિવસે એટલે કે ગુરુવારે યુપીમાં ઠંડીના કારણે 41 લોકોના મોત થયા છે. છેલ્લા થોડા દિવસની સરખામણીએ ઠંડીનું પ્રમાણ ઘટતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આજે સાંજે કાનપુર, ઉન્નાવ અને જાલોનમાં વરસાદની સાથે કરા પડવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે જેના કારણે સ્થાનિકો ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ