ઠંડીના પ્રકોપથી મૃત્યુ પામનારાની સંખ્યા દિન પ્રતિદિન સતત વધી રહી છે. નવા વર્ષના બીજા દિવસે એટલે કે ગુરુવારે યુપીમાં ઠંડીના કારણે 41 લોકોના મોત થયા છે. છેલ્લા થોડા દિવસની સરખામણીએ ઠંડીનું પ્રમાણ ઘટતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આજે સાંજે કાનપુર, ઉન્નાવ અને જાલોનમાં વરસાદની સાથે કરા પડવાનું અનુમાન હવામાન વિભાગે કર્યું છે જેના કારણે સ્થાનિકો ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
ઠંડીનો પ્રકોપથી યુપીમાં 41 લોકોના મોત
હવામાન વિભાગે ફરી આપી ચેતવણી
આજે સાંજે વરસાદ સાથે કરા પડવાની આગાહી
તાપમાનમાં આવેલા ઉતાર ચઢાવને લઈને હાઈ બ્લડપ્રેશરના રોગીઓને માટે ખતરો સર્જાયો છે. રોગીઓનું અચાનક બીપી વધી જવાના કારણે ગળાની પાસેની આર્ટરીમાં બ્લોકેજ થઈ રહ્યું છે અને તેના કારણે રોગીઓના મૃત્યુની સંખ્યા વધી રહી છે.
ઠંડીના કારણે થયા મોત
ગુરુવારે કાનપુરમાં 17, કાનપુર દેહાતમાં 5, ઝાંસીમાં 4, બાંદા અને મહોબામાં 3-3, હાથરસ, આગરા અને હમીરપુરામાં કુલ 6 લોકો, ચિત્રકૂટ અને અલીગઢમાં ઠંડીના કારણે 2 લોકોના મોત થયા છે. આ સિવાય વીજળી પડવાના કારણે 2 લોકોના મોત નીપજ્યા છે.
ઠંડીમાંથી મળી થોડી રાહત
ગુરુવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોની સાથે થોડો તડકો નીકળ્યો હતો. અધિકતમ તાપમાન 20 ડિગ્રીની પાર પહોંચ્યું હતું. હાડ થીજાવતી ઠંડીથી લોકોએ રાહત મેળવી હતી. પ્રદેશણાં ઈટાવા 4.8 ડિગ્રી, બાંદા 5.4 ડિગ્રીની સાથે સૌથી ઠંડું રહ્યું છે.
શુક્રવારની આગાહી
હવામાન વિભાગ અનુસાર યુપીમાં આજે અનેક જગ્યાઓએ વાદળો ગરજશે અને સાથે જ વરસાદની પણ સંભાવના છે. કેટલાક સ્થળોએ કરા પડી શકે છે માટે સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. પહાડો પર સતત થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર મેદાની વિસ્તારોમાં શીતલહેરના રૂપે જોવા મળી રહી છે. જો કે હજુ હવામાનમાં થોડો ફેરફાર આવ્યો છે ત્યારે અન્ય તરફ કરા પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે.