વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ જતા પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક તીખા સવાલોનો સામનો કરવો પડ્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત અને વિરાટના સંબંધોના સિવાય ક્રિકેટરોની વચ્ચે અણબનાવની ચર્ચાને વિશે સવાલો જવાબ આપવામાં આવ્યા.
પ્રેસ કોન્ફરન્સમાં વિરાટની સાથે કોચ રવિ શાસ્ત્રી પણ ત્યાં જ હતા. એક પત્રકારે જ્યારે વિરાટ કોહલીને પૂછ્યુ કે શું ક્રિકેટરોની પત્નીઓ વચ્ચે પણ ઝઘડો ચાલી રહ્યો છે? આ સવાલનો જવાબ વિરાટ આપે તે પહેલા રવિ શાસ્ત્રીએ આપી દીધો.
રવિ શાસ્ત્રીએ આ વાતનો જવાબ આપતા કહ્યુ કે, ટૂંક સમયમાં જ તમને એવા પણ સમાચાર આવશે કે ક્રિકેટરોની પત્નીઓ બોલિંગ અને બેટિંગ પણ કરશે, તેવામાં તમે મારાથી શું ઇચ્છો છો? આ સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા પત્રકારો હસી પડ્યા હતા. તો કોહલી પણ હસી પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપની મેચ દરમિયાન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેગ અને વિરાટની પત્ની અનુષ્કા વચ્ચે કંઇ ઠીક ન હોય તેવુ લાગી રહ્યુ હતુ કેમકે બંને મેચ જોવા માટે અલગ-અલગ બેઠા હતા. રિતિકા અને અનુષ્કા વર્લ્ડકપની મેચ દરમિયાન એકબીજાથી દૂર બેઠા હતા.
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં રોહિત શર્માને જગ્યા ન મળતાા તેની અને કોહલી વચ્ચે અબોલા ચાલી રહ્યા હતા. આ સિવાય રોહિતે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને સોશ્યલ મીડિયા પરથી અનફૉલો કરી દીધા છે તો અનુષ્કાએ થોડા સમય પહેલા જ રોહિતને ટોણો પણ માર્યો હતો.