ઠંડીની સિઝનમાં લોકો સાવધાની રાખવા છત્તા શરદી અને ખાંસીનો શિકાર થઇ જાય છે. જો સમય રહેતા જ આ ખાંસી ઠીક ના થાય તો એટલી હદે વધી જાય છે કે આપણું શરીર જકડાયેલું મહેસૂસ થાય છે. આ ઉપરાંત શ્વાસ લેવાની સમસ્યા થવા લાગે છે. એવામાં આપણે દવાઓનો સહારો લે છે. આ દવાઓથી આપણને થોડોક સમય સુધી આરામ તો મળી જાય છે પરંતુ એની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. ચલો તો જાણીએ કોઇ પણ સાઇડ્ ઇફેક્ટસ વગર એનો રામબાણ ઇલાજ જેને તમે ઘરે જ કરી શકો છો. ખાંસીનો ઘરે ઇલાજ કરવા માટે તમારે બસ આ કાવો બનાવવો પડશે.
કાવો બનાવવા માટે સામગ્રી
ચોખ્ખું પાણી
લવિંગ
મરી
નાની ઇલાયચી
આદુ
ગોળ
ચા ની પત્તી
બ્લેક તુલસીનો છોડના પાંદડા
કાવો બનાવવાની રીત:
કાવો બનાવવા માટે સૌથી પહેલા પાણીને ગરમ કરવા રાખો જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે એમાં મરી પીસેલુ લવિંગ ઇલાયચી આદુ અને સ્વાદાનુસાર ગોળ નાંખી દો. થોડાક સમય બાદ એમાં તુલસીના પાન એમાં નાંખી દો. હવે એમાં ચા ની પત્તી નાંખો. પાણી અડધું ના થાય ત્યાં સુધી એને ઉકાળો. જ્યારે પાણી અડધું થઇ જાય ત્યારે ગેસ બંધ કરી દો. પાણીને ચાળી લો તમારો કાવો બનીને તૈયાર છે. થોડાક દિવસો સુધી દરરોજ એનુ સેવન કરો. તમને શરદી-ખાંસી દૂર થઇ જશે.