દિવાળી આવે એટલે ખરીદી કરવા માટે લોકો ઉમટી પડે છે. હિન્દુ ધર્મમાં લોકો મૂર્હુત પ્રમાણે ખરીદી કરતા હોય છે. દિવાળી તેમજ ધનતેરસ ખરીદી માટે શભ માનવામાં આવે છે. તેમાં પણ કેટલીક તિથિ અને યોગ મળે તો તેને વધુ શુભ માનવામાં આવે છે.
ખરીદી માટે શુભ સંયોગ
વર્ષમાં માત્ર 12 દિવસ જ પુષ્ય નક્ષત્ર
સોનાની ખરીદી માટે શુભ
ક્યા મૂર્હુત શુભ છે
7 નવેમ્બરે શરૂ થયેલ પુષ્ય નક્ષત્ર 8 નવેમ્બર સુધી ચાલશે. ખરીદી માટે તે શુભ સંયોગ છે. જો તમે પણ સોનાની ખરીદી કરવા ઇચ્છતાં હોવ તો આ મૂર્હુતમાં ખરીદી કરી લેવી યોગ્ય રહેશે.
ક્યારે આવે છે પુષ્ય નક્ષત્ર
જ્યોતિષીના કહેવા અનુસાર, પ્રત્યેક હિન્દી મહિનામાં એક દિવસ પુષ્ય નક્ષત્ર રહે છે. એટલે વર્ષમાં માત્ર 12 દિવસ જ પુષ્ય નક્ષત્ર હોય છે. આ નક્ષત્રમાં વાહન, સોનુ કે કોઇ પણ વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે.
તમામ દોષનું નિવારણ
પુષ્ય નક્ષત્રને પોષણ આપતુ નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર. આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓને શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ દ્વારા સુખ-સમૃદ્ધિ આવે છે અને તમામ દોષ દુર થાય છે. વિવાહ જેવા પ્રસંગો માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ સાવધાની રાખો
વિદ્વાનોનું કહેવું છે કે, આ દિવસે વિવાહ કરવા અશુભ ગણાય છે. કારણકે આ દિવસે બ્રમ્હાજીને શ્રાપ મળ્યો હતો.
બુધ અને શુક્ર વારે પુષ્ય નક્ષત્ર ઉત્પાતકારી માનવામાં આવ્યો છે. આ દિવસે કોઇ પણ શુભ કે મંગળ કાર્ય કરી શકાય નથી.