કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં આગામી પેટાચૂંટણી પહેલા પ્રદેશમાં કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને અધ્યક્ષ બનાવામાં આવતા પ્રદેશ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો હતો. જો કે હવે આંતરિક વિખવાદને ડામવા માટે રાજ્યમાં આગામી પેટાચૂંટણી સિનિયર નેતાઓને ટિકીટ આપવામાં આવે તેવી અટકળોએ વેગ પકડયો છે.
સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયાને અપાઈ શકે છે ટિકીટ
ગુજરાતમાં આગામી પેટાચૂંટણી પ્રદેશ કોંગ્રેસમાં સિનિયર નેતાઓની નારાજગી દૂર કરવાને લઇને અટકળો તેજ બની ગઇ છે. હાલમાં હાઇકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવામાં આવતાં દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોવાને લઇને ચર્ચા થઇ રહી હોવાનું સામે આવ્યું હતું.
જો કે સિનિયર નેતાઓને રાજ્યની આગામી પેટાચૂંટણીમાં ટિકિટ આપી અસંતોષ દૂર કરવા કોંગ્રેસ તરફ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આમ આગામી પેટાચૂંટણીઓમાં સિનિયર નેતાઓને ઉતારી નારાજગી દૂર કરાશે.
કોંગ્રેસ દ્વારા આગામી પેટાચૂંટણીમાં સિદ્ધાર્થ પટેલ અને અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. જેમાં કરજણ બેઠક પરથી સિદ્ધાર્થ પટેલને જ્યારે અબડાસાથી અર્જૂન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવના છે.
જો કે બીજી તરફ રાજ્યમાં ભાજપ દ્વારા આગામી પેટાચૂંટણીની તમામ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસમાંથી એક વર્ગ એવું માની રહ્યો છે કે આગામી પેટાચૂંટણીની બે ત્રણ બેઠકો પર દિગ્ગજ નેતાઓને ઉતારવામાં આવે તો આ બેઠકો પર વિજય મેળવી શકાય છે.