હેલ્થથી લઇને બ્યૂટી સુધી નારિયેળ તેલ પ્રકૃતિની ખૂબ જ અનમોલ ભેટ છે. હાં નારિયેળ તેલ પ્રાકૃતિક તેલ છે જેના ઉપયોગથી અનેક ફાયદા થાય છે. અનેક ગુણોથી ભરપૂર આ તેલ સ્વાસ્થ્ય ફાયદા માટે પેઢીઓથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ નાળિયેરના તેલથી થતાં ફાયદાઓ વિશે...
- નારિયેળ તેલ ત્વચા માટે નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે તે ડેડ સ્કિનને દૂર કરીને રંગ નિખારે છે. નારિયેળ તેલના કોઇ સાઇડ ઇફેક્ટ નથી માટે તેનો ઉપયોગ ત્વચા રોગ ડર્મેટાઇટિસ એક્ઝિમા અને સ્કિન બર્નમાં કરી શકાય છે. નારિયેળ તેલ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં મદદ કરે છે. આ તેલ નિયમિત રૂપે હોઠ પર લગાવવાથી હોઠ પણ કોમળ રહે છે.
- નારિયેળ તેલ વાળને ભરાવદાર લાંબા અને ચમકદાર બનાવવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. માથામાં માત્ર પાંચ મિનિટ નારિયેળ તેલથી મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન વધે છે અને અનેક પોષણ તત્વોની ખામી થાય છે. નિયમિત રૂપથી નારિયેળ તેલથી મસાજ કરવાથી વાળમાં ખોડાની સમસ્યા દૂર થાય છે.
- નારિયેળના તેલના મોઢામાં લગભગ 20 મિનિટ સુધી રાખ્યા પછી થૂંકી દેવાથી બેક્ટેરિયા અને પેઢાંની સમસ્યા દૂર થાય છે. સ્વસ્થ પેઢાં માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત આ ઉપાય કરવો જોઇએ.
- આર્યુવેદમાં પિત્ત વૃદ્ઘિના કારણે નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી અર્થરાઇટિસ સાંધાનો દુખાવાને ઓછાં કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ તેલ હાડકાંમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ અબસોર્બ્ડ કરવાની ક્ષમતામાં સુધાર કરે છે.
- નારિયેળના તેલનો ઉપયોગ વજન ઓછું કરવા માટે પણ કરવામાં આવે છે. તાજા નારિયેળમાંથી કાઢવામાં આવેલાં તેલમાં અન્ય નારિયેળ તેલની અપેક્ષાએ વધારે મીડિયમ ચેન ફેટી એસિડ્સ (70-80 ટકા) મળી આવે છે. મીડિયમ ચેન ફેડી એસિડ્સ સરળતાથી ઓક્સીડાઇઝ્ડ લિપિડ્સ હોય છે અને એડીપોઝ ટિશ્યુમાં એકઠાં થતાં નથી. આ પ્રકારે મુખ્ય રૂપથી મીડિયમ ચેન ફેટી એસિડ યુક્ત નારિયેળનું તેલ વજન ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે.
- નારિયેળ તેલમાં લૉરિક એસિડ અને કૈપ્રિક એસિડની જેમ એન્ટીમાઇક્રોબિયલ લિપિડનો એક સમુદ્ઘ સ્ત્રોત છે જે એન્ટીફંગલ અને જીવાણુરોધી હોય છે.
- ભોજન બનાવવા માટે નારિયેળનું તેલ સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે તો તેના ગુણોનો લાભ શરીરને મળી છે.